આમચી મુંબઈ

ઉત્કૃષ્ટ ગણેશોત્સવ મંડળોનેહવે પાંચ વર્ષ માટે પરવાનગી

બાજરી-નાચણીના બાપ્પા…: -ગણેશોત્સવની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે ભાયખલામાં એક કલાકારે બાજરી અને નાચણીમાંથી બાપ્પાની આકર્ષક પ્રતિમા બનાવી છે. (અમય ખરાડે)

મુંબઈ: ઉત્કૃષ્ટ ગણેશોત્સવ મંડળોએ આગામી પાંચ વર્ષના ઉત્સવમાં સહભાગી થવા એક જ વાર પરવાનગી લેવી પડશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન સર્વ નિયમો અને કાયદાનું તંતોતંત પાલન કરનારા તેમજ જેમની વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાઈ નથી એવા ઉત્કૃષ્ટ ગણેશોત્સવ મંડળો માટે આ રાહત આપનારી બાતમી છે. પરિણામે આગામી પાંચ વર્ષ માટે તેઓ સુંદર આયોજન કરી શકશે.
ઉત્કૃષ્ટ ગણેશોત્સવ મંડળોને પ્રોત્સાહન મળે એ સાટુ આગામી પાંચ વર્ષ માટે એક જ વાર પરવાનગી લેવી પડે એ માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળની બેઠકમાં માગણી કરવામાં આવી હતી. એ વખતે એક અરજી બાબતે હાઈ કોર્ટે આપેલા નિર્દેશ પ્રત્યે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. એ બેઠકમાં મુખ્ય પ્રધાને આપેલા નિર્દેશ અનુસાર શહેરી વિકાસ વિભાગે સરકારના નિર્ણયની જાહેરાત કરી છે. આ નિર્ણય અનુસાર આ વર્ષે ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનારા ગણેશોત્સવ દરમિયાન સરકારી નિયમો અને કાયદાનું પાલન કરનારા ઉત્કૃષ્ટ ગણેશોત્સવ મંડળોને આગામી પાંચ વર્ષ માટે પરવાનગી આપવાની કાર્યવાહી સર્વ મહાપાલિકા, સર્વ નગરપાલિકા અને નગર પંચાયતોએ પૂરી કરવાની રહેશે. મહાપાલિકા, નગરપાલિકા અને નગરપંચાયતોની જગ્યા પર ગણેશોત્સવની ઉજવણી કરનારા ગણેશોત્સવ મંડળો પાસે જગ્યાનું મામૂલી ૧૦૦ રૂપિયાનું ભાડું લેવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો