ડુંગળીના ભાવ જૂન-જુલાઈ સુધી ઘટશે નહીં | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ડુંગળીના ભાવ જૂન-જુલાઈ સુધી ઘટશે નહીં

નવી મુંબઈ: હવામાન ફેરફારને કારણે ગયા વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે. હવે ફરી કમોસમી વરસાદના કારણે ખેતરમાં ડુંગળીનો પાક ખરાબ થયો હતો. પરિણામે ડુંગળીની અછત યથાવત રહેશે અને જૂન અને જુલાઇ મહિનામાં સારી ડુંગળી મળે તેવી સંભાવના છે. ત્યાં સુધી બજારમાં ડુંગળીના ભાવ ઊંચા રહેશે તેવું વેપારીઓનું અનુમાન છે.

વર્ષ દરમિયાન અનિયમિત હવામાન અને કમોસમી વરસાદના કારણે ખેતપેદાશોને મોટું નુકસાન થયું છે. તેની અસર રોજિંદા વપરાશ માટે જરૂરી કઠોળ, શાકભાજી પર જોવા મળી રહી છે. ડુંગળીના પાકને ભારે ફટકો પડ્યો હતો. ડુંગળીની અછતને પહોંચી વળવા કેટલાક વેપારીઓ વિદેશથી
ડુંગળી આયાત કરતા હતા. મુંબઈના હોલસેલ માર્કેટમાં આવતી કુલ ડુંગળીમાંથી માત્ર ૨૦ ટકા જ સારી ગુણવત્તાની છે. ૮૦ ટકા ડુંગળી ગૌણ ગુણવત્તાની છે. જથ્થાબંધ ડુંગળી પાણીમાં પલળેલી, ભેજવાળી હોય છે. તેથી તે લાંબો સમય ટકતો નથી. ખેડૂતો પલળેલી ડુંગળીને સૂકવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે પછી, તેઓ ખેતરમાં નવી ડુંગળી રોપશે અને ડુંગળી બજારમાં પહોંચે તે પહેલાં ચોમાસું શરૂ થઈ જશે. જેથી ત્યાં સુધી બજારમાં ડુંગળીની અછત રહેશે. વેપારીઓએ આગાહી કરી હતી કે ડુંગળીના ભાવમાં વધારો ચાલુ રહેશે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button