મોટી કંપનીઓનો ઑફિસ સમય બદલાશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મોટી કંપનીઓનો ઑફિસ સમય બદલાશે

મુંબઈ: ‘પિક અવર’ દરમિયાન ટ્રેનમાં ભીડ ટાળવા માટે કર્મચારીઓના ઓફિસના સમયમાં ફેરફાર કરવાના સેન્ટ્રલ રેલવેના આહવાનને મોટી કંપનીઓએ પ્રતિક્રિયા આપી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બજાજ ઈલેક્ટ્રીકલ, ગોદરેજ, જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન, જેમોન ઈન્ડિયા લિમિટેડ જેવી મોટી કંપનીઓએ તેમના કર્મચારીઓના ઓફિસ સમય બદલવાનો નિર્ણય કર્યો છે. મધ્ય રેલવેએ અપીલ કરી હતી કે દરેક મોટી કંપની, સરકારી તંત્રએ ‘પિક અવર’માં ભીડને નિયંત્રિત કરવા પહેલ કરવી જોઈએ.

સેન્ટ્રલ, હાર્બર અને વેસ્ટર્ન રેલવે લાઇન પર દરરોજ ૭૫ લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. પશ્ર્ચિમ રેલવેના રૂટ પર મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા કરતાં મધ્ય રેલવેના રૂટ પર મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા વધુ છે. આનાથી મધ્ય રેલવે પર દબાણ આવે છે. આ તણાવ ઘટાડવા માટે, ‘પિક અવર’ દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે સેન્ટ્રલ રેલવેના સ્ટાફના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button