આમચી મુંબઈ

મોટી કંપનીઓનો ઑફિસ સમય બદલાશે

મુંબઈ: ‘પિક અવર’ દરમિયાન ટ્રેનમાં ભીડ ટાળવા માટે કર્મચારીઓના ઓફિસના સમયમાં ફેરફાર કરવાના સેન્ટ્રલ રેલવેના આહવાનને મોટી કંપનીઓએ પ્રતિક્રિયા આપી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બજાજ ઈલેક્ટ્રીકલ, ગોદરેજ, જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન, જેમોન ઈન્ડિયા લિમિટેડ જેવી મોટી કંપનીઓએ તેમના કર્મચારીઓના ઓફિસ સમય બદલવાનો નિર્ણય કર્યો છે. મધ્ય રેલવેએ અપીલ કરી હતી કે દરેક મોટી કંપની, સરકારી તંત્રએ ‘પિક અવર’માં ભીડને નિયંત્રિત કરવા પહેલ કરવી જોઈએ.

સેન્ટ્રલ, હાર્બર અને વેસ્ટર્ન રેલવે લાઇન પર દરરોજ ૭૫ લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. પશ્ર્ચિમ રેલવેના રૂટ પર મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા કરતાં મધ્ય રેલવેના રૂટ પર મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા વધુ છે. આનાથી મધ્ય રેલવે પર દબાણ આવે છે. આ તણાવ ઘટાડવા માટે, ‘પિક અવર’ દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે સેન્ટ્રલ રેલવેના સ્ટાફના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો