(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના નેતા અને વિધાન પરિષદમાં ભાજપના નેતા પ્રવીણ દરેકરે લખેલા પત્રને આધારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને શુક્રવારે ખેલૈયાઓને મોટી ભેટ આપવાનો નિર્ણય લેતાં હવે આગામી ત્રણ દિવસ એટલે કે શનિવાર, રવિવાર અને સોમવારે રાતે બાર વાગ્યા સુધી નવરાત્રી રમી શકાશે.
મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે વહેલી સવારે બહાર પાડેલા આદેશ બાદ સળંગ ત્રણ દિવસ રાતે બાર વાગ્યા સુધી નવરાત્રીના કાર્યક્રમોમાં લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવામાં આવી છે.
ભાજપના નેતા અને બોરીવલીની એક નવરાત્રીના આયોજક પ્રવીણ દરેકર ઉપરાંત અન્ય કેટલાક આયોજકોએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને નવરાત્રીમાં દિવસો વધારી આપવાની વિનંતી કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે મૂળ સરકારી આદેશ મુજબ શનિવારે અને સોમવારે રાતે બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકરની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ આયોજકોની માગણીને પગલે રવિવારે પણ રાતે બાર વાગ્યા સુધી રમવાની પરવાનગી આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાતે 10 વાગ્યા પછી લાઉડ સ્પીકરના ઉપયોગની પરવાનગી નથી. આ આદેશમાં રાજ્ય સરકારોને કેટલાક દિવસની પરવાનગી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર પાસે પાંચ દિવસની રાતે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરની પરવાનગી ફાજલ પડી હોવાથી નવરાત્રી આયોજકો ચાર દિવસ રાતે બાર વાગ્યા સુધીની પરવાનગી માગી રહ્યા હતા, પરંતુ સરકારે ફક્ત એક દિવસ વધારાની પરવાનગી આપી હતી.
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો!
1) તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો!
2) NPS (નેશનલ પેન્શન સ્કીમ) 80C ના દોઢ લાખ ઉપરાંત તમે 80CCD (1B)માં 50 હજારની વધુ છૂટ મેળવી શકો છો.
3) સેક્શન 80D માં હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર 25 હજા