આમચી મુંબઈ

હવે એસઆરએની ફ્લેટ ટ્રાન્સફર ફીમાં થશે ૫૦% નો ઘટાડો

મહારાષ્ટ્ર કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેતાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી સ્કીમ (એસઆરએ)માં ફ્લેટના વેચાણ પર ચુકવવાપાત્ર ટ્રાન્સફર ફી ને રૂ. ૧ લાખથી ઘટાડીને રૂ. ૫૦,૦૦૦ કરવાનો નિર્ણય લીધો હતો.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ્યારે ગૃહનિર્માણ વિભાગનો હવાલો સંભાળતા હતા ત્યારે તેમણે મે ૨૦૨૩ માં જાહેરાત કરી હતી કે સરકાર આ બાબતે આવો નિર્ણય લઈ શકે છે. ત્યારબાદ અજિત પવારની આગેવાની હેઠળનું જૂથ સરકારમાં જોડાયું અને કેબિનેટ પોર્ટફોલિયોની પુન:વિતરણ કરવામાં આવ્યો તેમાં હાઉસિંગ પોર્ટફોલિયો ભાજપના અતુલ સાવેને આપવામાં આવ્યો હતો. આને પગલે આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં વિલંબ થયો હતો. બુધવારે આખરે આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના હેઠળ બાંધવામાં આવતી
ઈમારતોમાં ઝૂંપડાવાસીઓને ઘર આપવામાં આવે છે. વાસ્તવમાં મૂળ નિયમ મુજબ નિવાસી ગાળાના હસ્તાંતરણ માટે રૂ. એક લાખ, ઔદ્યોગિક ગાળા માટે રૂ. બે લાખ અને કમર્શિયલ ગાળા માટે રૂ. ત્રણ લાખની ટ્રાન્સફર ફી નિર્ધારિત કરવામાં આવી હતી. સરકારે ફક્ત નિવાસી ગાળા માટેની ફીમાં પચાસ ટકાનો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત એસઆરએના નિવાસી ગાળા હસ્તાંતરણ માટે પહેલાં જે રૂ. ૧૦ વર્ષની સમયમર્યાદા હતી તેને ઘટાડીને સાત વર્ષ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

ટ્રાન્સફર ફી ઘટાડવાની માગણી ઘણા વર્ષોથી પડતર હતી અને તમામ પક્ષોના ઘણા ધારાસભ્યો આ માંગણી ઉઠાવી રહ્યા હતા. આ પગલાથી એસઆરએ સ્કીમમાં ઘર મેળવનારા અને પ્રોપર્ટી વેચવાની યોજના બનાવી રહેલા લોકોને રાહત મળવાની શક્યતા છે. અહીં ઉલ્લેખનીય છે કે એસઆરએના ઘરના વેચાણ વખતે સ્ટેમ્પ ડ્યુટી રાજ્ય સરકારને મળતી જ હોય છે, આ ઉપરાંત એક લાખની ટ્રાન્સફર ફી હોવાથી બિનજરૂરી ખર્ચ વધી જતો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.

આ ઉપરાંત લેવામાં આવેલા એક મહત્ત્વના નિર્ણયમાં દક્ષિણ મુંબઈના ચર્ની રોડ પર બાંધવામાં આવનાર સી ફેસિંગ મરાઠી ભાષા ભવનની યોજનામાં ફેરફાર સાથે કેબિનેટને પણ રજૂ કરવામાં આવશે. જવાહર બાલ ભવન જ્યાં શિક્ષણ વિભાગની કચેરીઓ આવેલી છે તેની બાજુમાં આવેલા પ્લોટ પર બિલ્ડિંગનું આયોજન પહેલાં કરવામાં આવ્યું હતું. વર્તમાન સરકારની નવી યોજના મુજબ ભાષા ભવન નિર્માણ માટે બંને પ્લોટ મર્જ કરવામાં આવનાર છે.

ફ્લેટ ખરીદતાં પહેલાં આટલું ધ્યાન રાખજો
રેરાએ ફક્ત સર્ટિફિકેટ ધરાવતા એજન્ટ
પાસેથી ફ્લેટ ખરીદવાનું બંધનકારક કર્યું
મુંબઈ: હાઉસિંગ ક્ષેત્રે એજન્ટ એ ઘર ખરીદી કરનાર અને બિલ્ડર વચ્ચે અત્યંત મહત્ત્વની કડી મનાય છે. મોટા ભાગે ગ્રાહક સૌપ્રથમ એજન્ટના સંપર્કમાં આવતો હોય છે. ગ્રાહકોને પ્રોજેક્ટ અનુરૂપ પ્રાથમિક માહિતી તેની પાસેથી જ મળતી હોય છે. એજન્ટોના મહત્ત્વને લક્ષમાં રાખીને રેરા કાયદામાં પણ તેનું અસ્તિત્વ રાખવામાં આવ્યું હોઇ પ્લોટ, ફ્લેટનું વેચાણ કરનારા એજન્ટ પાસે રેરાનું સર્ટિફિકેટ
હોવું બંધનકારક કરવામાં આવ્યું છે.
મુંબઈ શહેરમાં ફ્લેટની ખરીદી કરતા સમયે અનેક વાર ગ્રાહકોની ફસામણી થતી હોઈ મહારેરાએ આ પહેલા ડેવલપર માટે અનેક કડક કાયદા બનાવ્યા છે. એજન્ટને પણ તમામ બાબતની માહિતી હોવી જરૂરી છે એ વાતને ધ્યાનમાં રાખીને હવે મહારેરાએ એજન્ટો પર પણ લગામ તાણવા નવો કાયદો બનાવ્યો છે. જે એજન્ટ પ્લોટ કે પછી ફ્લેટની ખરીદી કરવા માટે ગ્રાહક સાથે ડીલ કરતો હોય છે ત્યારે તેની પાસે સર્ટિફિકેટ હોવું બંધનકારક છે એવો નિર્ણય મહારેરાએ લીધો છે.

જૂના એજન્ટો અને બિલ્ડર પાસેથી સંબંધિત કર્મચારીઓએ સર્ટિફિકેટ મેળવીને તેમની વેબસાઈટ પર નોંધણી કરવું જરૂરી છે. આનું પાલન ન કરનારા પર મહારેરા કાર્યવાહી કરશે. મહારેરા પાસે એજન્ટ તરીકે નવું રજિસ્ટ્રેશન કરવા માટે કે પછી પોતાની પાસેના લાઈસન્સનું નૂતનીકરણ કરવા માટે સર્ટિફિકેટ મેળવવું હવે બંધનકારક રહેશે. ત્યાર બાદ આ સર્ટિફિકેટ ન હોય ત્યાં સુધી નવા એજન્ટ તરીકે રજિસ્ટ્રેશન કે પછી નૂતનીકરણ પણ નહીં થાય.હાલના લાઈસન્સધારી એજન્ટોને અને બિલ્ડર પાસેથી આ કામ માટે સંબંધિત કર્મચારીઓને સર્ટિફિકેટ મેળવીને તેમની વેબસાઈટ પર તેને નોંધાવવું જરૂરી છે.

કાર્યવાહી ટાળવા માટે આટલું કરજો

મહારેરા ઘરની ખરીદી અને વેચાણ માટે વચેટિયાઓ એટલે કે એજન્ટો માટે હવેથી સર્ટિફિકેટ હોવું બંધનકારક બનાવ્યું છે ત્યારે એજન્ટોએ મહારેરાની કાર્યવાહીથી આટલું કરવાની જરૂર છે. તાલીમ પૂરી કરીને પરીક્ષા આપીને સર્ટિફિકેટ પ્રાપ્ત કરવું જરૂરી છે. સર્ટિફિકેટ સિવાય મહારેરા પાસે એજન્ટ તરીકે રજિસ્ટ્રેશન કે પછી નૂતનીકરણ કરી શકશે નહીં. ઉ

એજન્ટે શું ધ્યાન રાખવા જેવું છે
એજન્ટને રેરા કાયદામાંની મહત્ત્વની જોગવાઈની માહિતી હોવી જરૂરી છે. જે બિલ્ડર અને પ્રોજેક્ટની વિશ્ર્વસનીય પ્રાથમિક માહિતી, પ્રોજેક્ટની જમીનના હકની માન્યતા, રેરા નિયમ અનુસાર એફએસઆઈ, બિલ્ડિંગના બાધંકામનું કમિન્સમેન્ટ સર્ટિફિકેટ અને સ્થાનિક અને ઓથોરિટીની તમામ મંજૂરી જેવી માહિતી હોવી જરૂરી છે. એજન્ટોએ આવી અનેક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?