આમચી મુંબઈ

ચાર કબુતરખાના શરૂ કરવા માટે કોઈ સંસ્થા આગળ આવી નહીં !

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ કામચલાઉ વ્યવસ્થા તરીકે મુંબઈમાં ચાર જગ્યાએ સવારના સાતથી નવ વાગ્યા સુધી કબૂતરોને કંટ્રોલ ફીંડિંગ માટે મંજૂરી આપી છે અને તેના સંચાલન માટે સ્વંયસેવી સંસ્થાને આગળ આવે તો જ મંજૂરી આપવાની શરત રાખી છે. જોકે છેલ્લા ચાર દિવસમાં એક પણ સંસ્થા તે માટે આગળ આવી ન હોવાનું જાણવા મળ્યું હતું.

કબુતરોને કારણે આરોગ્યને થનારા નુકસાનને ધ્યાનમાં રાખીને હાઈ કોર્ટના નિર્દેશ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના કબુતરખાના બંધ કરાવી દીધા છે. જોકે કોર્ટે કબુતરોને કંટ્રોલ ફીડિંગ મુજબ ચણ આપી શકાય તે માટે કામચલાઉ મંજૂરી આપી હતી. તે મુજબ પાલિકા દ્વારા મુંબઈમાં ચાર જગ્યા કબુતરો માટે કંટ્રોલ ફીડિંગ માટે જાહેર કરવામાં આવી હતી, જેમાં દક્ષિણ મુંબઈમાં વરલી જળાશય,પશ્ર્ચિમ ઉપનગરમાંં વેસાવે એસટીપી પ્રોજેક્ટ નજીક, લોખંડવાલા બૅક રોડ પર મેનગ્રોવ્ઝ પરિસર, બોરીવલી પશ્ર્ચિમમાં ગોરાઈ મેદાનનો અને પૂર્વ ઉપનગરમાં મુલુંડ પૂર્વમાં મુલુંડ જકાત નાકા પાસે ઐરોલી-મુલુંડ લિંક રોડનો સમાવેશ થાય છે. આ ચાર ઠેકાણે કબુતરખાના માટે મંજૂરી આપવાનો વચગાળાનો નિર્ણય પાલિકાએ લીધો છે.

પાલિકાના જણાવ્યા મુજબ આ ચારે ઠેકાણે કબુતરોને સવારના સાતથી નવ વાગ્યા સુધી ચણ નાખવા માટે મંજૂરી આપી છે. ચારે જગ્યા પર કબુતરખાનાનું વ્યવસ્થાપન કરવા માટે સ્વયંસેવી સંસ્થા આગળ આવી તો જ આ મંજૂરી આપવામાં આવશે એવી શરત રાખી છે.

જોકે શુક્રવારે પાલિકાની જાહેરાત બાદ હજી સુધી કોઈ સામાજિક સંસ્થા આગળ આવી નથી. તો મુલુંડમાં તો કંટ્રોલ ફિડીંગ માટે જગ્યા આપવા સામે સ્થાનિક નાગરિકોએ વિરોધ પણ દર્શાવ્યો છે. તેથી પાલિકાની કંટ્રોલ ફિડીંગની યોજના કેટલી સફળ થશે તેની સામે સવાલ થઈ રહ્યાં છે.

આ પણ વાંચો…જૈન સમાજનો વિજય: ફડણવીસે ‘કબુતરખાના’ને ‘અચાનક’ બંધ કરવા અંગે નારાજી દાખવી: કબૂતરોને નિયંત્રિત ખોરાક આપવાનો નિર્દેશ

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button