આમચી મુંબઈ

હવે કોઇ નોટિસ નહીં, સોમવારથી કાર્યવાહી

મરાઠીમાં પાટિયાં, પ્રતિ સ્ટાફ ₹૨,૦૦૦નો દંડ

મુંબઈ: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં દુકાનો અને સંસ્થાઓના પાટિયા ફરજિયાત મરાઠીમાં હોવા જોઈએ એવો આદેશ જારી કર્યો હતો. અદાલતે ૨૫ નવેમ્બરે ૨૦૨૩ સુધી રાજ્યની દરેક દુકાનો અને સંસ્થાઓ પર મરાઠીમાં પાટિયા લગાડવાની મુદત આપી હતી. અદાલતના આ આદેશનું પાલન ન કરનાર દુકાનો અને સંસ્થાઓ સામે ૨૭ નવેમ્બરથી મુંબઈ મહાપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવવાની છે. આ માટે મુંબઈના ૨૪ વોર્ડમાં અધિકારીઓની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ૨૭ નવેમ્બરથી શરૂ થનારી આ કાર્યવાહીમાં દુકાનો અને સંસ્થાઓ પર મરાઠીમાં પાટિયા ન દેખાતા જવાબદાર વ્યક્તિ સામે બે હજાર રૂપિયા પ્રતિ સ્ટાફ એવો દંડ વસુલકરવામાં આવશે. પાલિકા દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આ કાર્યવાહી કરતાં પહેલા કોઈ પર પ્રકારની નોટિસ આપવામાં આવશે નહીં તેથી દરેક દુકાનદારોએ જલ્દીથી જલ્દી મરાઠી પાટિયા બેસાડવા એવી સૂચના આપવામાં આવી છે. પાલિકાના એક અધિકારીએ જણાવ્યુ હતું કે આ મામલે મુંબઈની સાત લાખ જેટલી દુકાનો-સંસ્થાઓ બીએમસીના રડાર પર છે.
માર્ચ ૨૦૨૨ ના રોજ રાજ્યના બજેટ સત્રમાં, દુકાનો-સંસ્થાઓ પર મરાઠી ભાષામાં પાટિયાને ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ ૨૦૧૮માં આ નિયમ ફક્ત એવા દુકાનો પર લાગુ કરવામાં આવ્યો હતો જ્યાં ૧૦ કરતાં ઓછા લોકો કામ કરતો હોય, પણ હેવે આ નિયમમાં ફેરબદલ કરી તે દરેક દુકાનો માટે ફરજિયાત કરવામાં આવ્યો હતો.
આ નિયમ હેઠળ શરાબની દુકાનોને પણ કોઈ મહાન વ્યક્તિ અથવા કિલ્લાના નામે રાખવામા આવે નહીં તેવો આદેશ પણ દેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આ નિર્ણયનું અમલીકરણ માટે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગયા વર્ષે અદાલતે ૩૧ મે સુધી દરેક દુકાનો અને સંસ્થાઓ પર મરાઠી પાટિયા લગાડવાનો નિર્દેશ જારી કર્યો હતો. પણ આ મામલે વ્યાપારી સંઘ અદાલતનો દરવાજો ખાકડાવ્યો હતો, ત્યારબાદ અદાલતે ૨૫ નવેમ્બર સુધી આ નિયમનું અમલીકરણ કરવાની સૂચના આપી હતી. તેથી ૨૬ નવેમ્બરે રવિવાર આવવાને લીધે ૨૭ તારીખથી દરેક દુકાનો અને સંસ્થાઓ સામે કડક કાર્યવાહી થવાની શક્યતા છે.

ક કોર્ટના આ આદેશનું પાલન કરી ગયા વર્ષે લગભગ ૨૮ હજાર દુકાનદારોએ મરાઠીમાં પાટિયા લગાવ્યા હતા. ક ૫૨૧૭ જેટલા દુકાનદારોએ પાલિકાની આ કાર્યવાહીનો વિરોધ પણ કર્યો હતો અને ત્યારબાદ અદાલતમાં આ મામલે સુનાવણી ચાલતી હોવાથી કાર્યવાહીને રોકવામાં આવી હતી.
ક અદાલતે મહાપાલિકાના પક્ષમાં નિર્ણય આપતા ૨૭ તારીખથી કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવશે.
ક દરેક વોર્ડમાં નગરપાલિકાના દુકાન અને સંસ્થા વિભાગ દ્વારા દુકાનો અને સંસ્થાઓ પર મરાઠી ભાષામાં પાટિયા લગાડવાની પ્રક્રિયા અંગે નિરીક્ષણ કરવામાં આવશે. આ માટે ૭૫ ઈન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી છે.
ક કાર્યવાહી વખતે મરાઠી ભાષામાં બોર્ડે ના દેખાતા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. જો કોર્ટની કાર્યવાહી ન જોઈતી હોય તો દુકાનદારે ત્યાં કામ કરતાં દરેક કામદાર માટે બે હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. ઉ

શું છે નિયમ?

મહારાષ્ટ્ર દુકાન અને સંસ્થા (રોજગાર અને સેવાની શરતોનું નિયમન) સુધારો અધિનિયમ, ૨૦૨૨ ની કલમ ૩૬ ‘સી’ (૧) ની કલમ ૬ હેઠળ રાજયમાં નોંધાયેલી દરેક દુકાન-સંસ્થાને લાગુ થતી કલમ ૭ મુજબ દુકાન પર મરાઠી પાટિયા બેસાડવા ફરજિયાત છે. મુંબઈમાં અંદાજે સાત લાખ દુકાનો છે જેમને આ નિયમનું પાલન કરવાનું ફરજિયાત રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…