આમચી મુંબઈ

એનસીપીના વિલીનીકરણ અંગે અનિશ્ર્ચિતતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવાર રવિવારે સવારે બારામતીથી મુંબઈ જવા રવાના થયા હતા, જે તેમના ભત્રીજા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું મૃત્યુ થયું ત્યારથી બારામતીમાં જ હતા. આના પરથી એવું લાગી રહ્યું છે કે એનસીપીના કથિત વિલીનીકરણ અંગે ભારે અનિશ્ર્ચિતતા પ્રવર્તી રહી છે.

એનસીપીના નેતા અજિત પવારના પત્ની સુનેત્રા પવાર, જેમણે શનિવારે મુંબઈમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, તેઓ મોડી રાત્રે પવાર પરિવારના વતન પુણેમાં બારામતી પરત ફર્યા હતા.

આપણ વાચો: સુનેત્રા પવાર એનસીપીના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

તાજેતરના રાજકીય ઘટનાક્રમ અને એનસીપીના બંને જૂથોના વિલીનીકરણ અંગેની ચર્ચાઓ વચ્ચે શરદ પવાર અને સુનેત્રા પવારે ફોન પર વાત કરી કે નહીં તે હજી સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

શરદ પવારનો મુંબઈમાં કોઈ કાર્યક્રમ નક્કી ન હોવા છતાં અચાનક મુંબઈ પાછા ફરવાનું તેમનું કારણ સમજાઈ રહ્યું નથી.
તેમની પુત્રી અને બારામતી લોકસભા સભ્ય સુપ્રિયા સુળે બજેટ સત્રમાં હાજરી આપવા માટે શનિવારે દિલ્હી જવા રવાના થઈ ગયા હતા.

એનસીપી (એસપી)ના વડાએ શનિવારે દાવો કર્યો હતો કે તેમને નાયબ મુખ્ય પ્રધાન તરીકે સુનેત્રા પવારના શપથ ગ્રહણ વિશે ‘કોઈ જાણકારી નથી,’ અને એમ પણ કહ્યું હતું કે તેમના સ્વર્ગસ્થ ભત્રીજાએ એનસીપીના બંને જૂથો વચ્ચે વિલીનીકરણની જાહેરાત કરવા માટે 12 ફેબ્રુઆરીનો દિવસ નક્કી કર્યો હતો.

આપણ વાચો: અજિત 12 ફેબ્રુઆરી સુધીમાં એનસીપીનું વિલીનીકરણ ઇચ્છતા હતા: શરદ પવાર

તેમણે એમ પણ કહ્યું કે અજિત પવારના અવસાનને કારણે એનસીપી (એસપી) અને એનસીપીના વિલીનીકરણની પ્રક્રિયામાં હવે અવરોધ આવી શકે છે. એનસીપી (એસપી)ના વડાએ એમ પણ કહ્યું કે શાસક જૂથને લાગ્યું હશે કે અજિત પવારના અવસાન પછી કોઈએ આ પદ સંભાળવું જોઈએ.

બીજી તરફ અજિત પવારના પુત્ર પાર્થ પવાર શનિવારે બારામતીમાં પવારના નિવાસસ્થાન ગોવિંદબાગ ખાતે પવાર સિનિયરને મળ્યા હતા. સુળે, એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવાર અને યુગેન્દ્ર પવાર પણ આ સમયે હાજર હતા.

28 જાન્યુઆરીએ અજિત પવારના અવસાન પછી, એનસીપીના બંને જૂથો વચ્ચેના વિલીનીકરણની વાટાઘાટો – જે આગળના તબક્કામાં હતી – તેને પાછળ ધકેલી દેવામાં આવી હોય તેવું લાગે છે, પટેલ અને તટકરે આ બાબતે મૌન રહ્યા હતા જ્યારે નરહરિ ઝિરવાલ જેવા નેતાઓ એકતાની હિમાયત કરે છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button