જળસંગ્રહઃ નવી મુંબઈ પાલિકાએ તળાવોની સંગ્રહક્ષમતા વધારવા માટે કરી હિલચાલ

મુંબઈઃ નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી)એ ચોમાસા દરમિયાન શહેરને પૂરથી બચાવવા માટે રચાયેલ તળાવોની જળ સંગ્રહક્ષમતાને પુનઃસ્થાપિત કરવા અને વધારવાની પહેલ શરૂ કરી છે, એમ પાલિકાએ આજે જણાવ્યું હતું.
સિડકો દ્વારા બેલાપુર, સાનપાડા, વાશી, કોપરખૈરણે અને ઐરોલીમાં બાંધવામાં આવેલા ૧૧ ડચ-શૈલીના સંગ્રહ તળાવો ભરતી અને વરસાદી પાણી માટે જળાશય તરીકે કાર્ય કરે છે, ખાસ કરીને ભારે વરસાદ દરમિયાન. હોલ્ડિંગ પોન્ડ ફ્લૅપ ગેટનો ઉપયોગ કરે છે, જે ભરતીની હિલચાલ પર આધારિત હોય છે.
ભરતીને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા જોકે, વર્ષોના કાંપના સંચય અને મેન્ગ્રોવની અતિશય વૃદ્ધિએ તળાવની ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, તેમ નાગરિક સંસ્થાએ જણાવ્યું હતું. આ વર્ષના ચોમાસા દરમિયાન ઘટેલી કાર્યક્ષમતા સ્પષ્ટ થઈ હતી, જ્યારે ભારે વરસાદ અને ઊંચી ભરતીના કારણે નવી મુંબઈમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
Also read: નવી મુંબઈમાં ભારતીય મહિલા ક્રિકેટર્સના નવા વિક્રમોની ભરમાર…
ભૌતિક સર્વેક્ષણનું કામ હાથ ધર્યું મ્યુનિસિપલ કમિશનર કૈલાશ શિંદેએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને કટોકટીના રાહત પગલાં શરૂ કર્યા. આઈઆઈટી મુંબઈ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોટર રિસોર્સિસ એન્ડ એન્વાયર્નમેન્ટના નિષ્ણાતો સાથે બેઠક યોજાઈ હતી. અધિકારીએ કહ્યું છે કે હાલમાં તળાવો અને ડ્રેનેજ સિસ્ટમ્સનું ભૌતિક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.ઈકોસિસ્ટમની સેફ્ટીનું ધ્યાન રખાશે કાંપ દૂર કરવા અને પુનર્જીવિત કરવાના પ્રોજેક્ટ્સની તકનીકી પ્રકૃતિને જોતાં એનએમએમસી દરિયાઈ ઇકોસિસ્ટમને નુકસાન ન થાય તે માટે પર્યાવરણીય માર્ગદર્શિકાઓનું પાલન સુનિશ્ચિત કરી રહ્યું છે. એનએમએમસીએ જણાવ્યું હતું કે સિટી એન્જિનિયર્સ વિભાગે સફાઈ અને પુનરુત્થાન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વિગતવાર, સમયબદ્ધ યોજના ઘડી છે.
(PTI)