આમચી મુંબઈ

નેશનલ પાર્કની સફારી હવે મોંઘી પડશે

પુખ્તોના ₹ ૮૪ને બદલે ૯૪ અને બાળકોના ₹ ૪૫ને સ્થાને ૫૦ વસૂલાશે

મુંબઈ: યેઉરના જંગલમાં પર્યટન કે પછી પ્રવાસ કરવા માટે જતા પર્યટકોને નવા વર્ષમાં વધારાના પૈસા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. પુખ્તોના હવે પછી રૂ. ૮૪ને બદલે ૯૪ અને ૧૨ વર્ષ સુધીનાં બાળકો પાસેથી રૂ. ૪૫ને બદલે ૫૦ લેવામાં આવશે. નાનાં વાનો માટે રૂ. ૨૮૭ને બદલે રૂ. ૩૧૬ ગણવા પડશે, એવી માહિતી સૂત્રોએ આપી હતી. દર વર્ષે તેની ફીમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવતો હોય છે. એ જ પાર્શ્ર્વભૂમિ પર આ વધારો કરવામાં આવ્યો હોવાની માહિતી વનખાતાના અધિકારીએ આપી હતી.
બોરીવલીના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (નેશનલ પાર્ક)ના મુખ્ય વનસંરક્ષક અને સંચાલકના આદેશથી નવા દર ૧લી જાન્યુઆરી, ૨૦૨૪થી અમલમાં મૂકવામાં આવ્યા છે. ડિસેમ્બર, ૨૦૨૪ સુધી આ ભાવ અમલમાં રહેશે. આને કારણે હવે પછી યેઉરના જંગલમાં જો તમારે પ્રવાસ કરવો હોય તો એક વાહનના તમારે રૂ. ૩૧૬ ચૂકવવાની તૈયારી રાખજો. પ્રતિ વ્યક્તિદીઠ રૂ. ૯૪ અને પાંચથી ૧૨ વર્ષનાં બાળકોના રૂ. ૫૦ ચૂકવવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૨૯,૯૦૭ પર્યટકોએ યેઉરની મુલાકાત લીધી હતી.

આટલું ધ્યાન રાખજો

તમે યેઉરના જંગલમાં પ્રવાસ કરવાનું વિચારતા હોવ અને જો મંજૂરી વિના તમે પ્રવેશ કરશો તો તમારે તેની ભારે કિંમત ચૂકવવી પડશે. વન્યજીવ (સંરક્ષક) કાયદા અનુસાર ત્રણ વર્ષની જેલ અને પચીસ હજાર રૂપિયાનો દંડની કાર્યવાહી થઇ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door