ઝૂંપડપટ્ટીના પુનર્વસનની મોટાભાગની ઇમારતો જોખમી: સત્તાવાળાએ નવી નોટિસ જારી કરી | મુંબઈ સમાચાર

ઝૂંપડપટ્ટીના પુનર્વસનની મોટાભાગની ઇમારતો જોખમી: સત્તાવાળાએ નવી નોટિસ જારી કરી

મુંબઈ: સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટીએ ગોરેગાંવ સ્લમ રિહેબિલિટેશન સ્કીમ હેઠળ બિલ્ડિંગના પાર્કિંગમાં આગ લાગવા જેવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળવા માટે ડેવલપર્સ અને આર્કિટેક્ટ્સને નવી સૂચનાઓ જારી કરી છે. જો કે, એક વરિષ્ઠ અધિકારીએ ધ્યાન દોર્યું હતું કે સહકારી હાઉસિંગ સોસાયટી દ્વારા જે ઇમારતો પૂર્ણ થઈ ગઈ છે અને રહેવા યોગ્ય પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તેની જરૂરી કાળજી લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બની શકે છે.

ગોરેગાંવની સાત માળની ઇમારત જય ભવાની કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને ૨૦૧૩માં સત્તાધિકારી દ્વારા રહેવા યોગ્ય પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો છે કે ફાયર બ્રિગેડ દ્વારા ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ આપવામાં આવ્યા બાદ જ રહેવા યોગ્ય પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તે પછીની જવાબદારી ત્રણ વર્ષના સમયગાળા માટે વિકાસકર્તાની રહે છે. જે બાદ બિલ્ડિંગ નગરપાલિકાને સોંપવામાં આવે છે. ઝૂંપડપટ્ટીના પુનર્વસનમાં અત્યાર સુધીમાં અઢી લાખ ફ્લેટને રહેવા યોગ્ય પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. મોટાભાગની ઈમારતોની જવાબદારીનો સમયગાળો પૂરો થઈ ગયો હોવાથી, જાળવણીની જવાબદારી હવે સંબંધિત સહકારી હાઉસિંગ સોસાયટીઓની રહે છે. પરંતુ આ હાઉસિંગ સંસ્થાઓ દ્વારા યોગ્ય તકેદારી રાખવામાં આવતી ન હોવાનું જાણવા મળ્યું છે. જેથી હવે ઓથોરિટી દ્વારા ફરીથી તેની સમીક્ષા કરવામાં આવશે. જે ઈમારતમાં આગ લાગી તે સાત માળની ઈમારત હતી. પરંતુ હાલમાં સ્લમ રિહેબિલિટેશનમાં ૪૨ માળના ટાવર ઊભા છે.

Back to top button