આમચી મુંબઈ

મુંબઈમાં વર્ષના અંત સુધીમાં 60થી વધુ `આપલા દવાખાના’ ખુલશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ વર્ષના અંત સુધીમાં 60થી વધુ હિંદુહૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે (એચબીટી) દવાખાના આપલા દવાખાના ખોલવાની જાહેરાત કરી છે. હાલમાં 166 દવાખાના અને 28 પૉલિક્લિનિક્સ (એચબીટી) ક્લિનિક ચાલી રહ્યા છે. એચબીટી ક્લિનિકની પ્રથમ વર્ષગાંઠ પર પાલિકાએ સમર્પિત એક સ્પેશિયલ જિંગલ બહાર પાડી હતી. આ દરમિયાન એચબીટી દવાખાનામાં એક સજેશન બોક્સ રાખવાનું પાલિકાએ નક્કી કર્યું છે, જેમાં લોકો તેમના સૂચનો રજૂ કરી શકશે અને તેને કારણે પાલિકા તેમની સેવામાં સુધારો કરી શકશે.
એડિશનલ મ્યુનિસિપલ કમિશનર ડૉ. સુધાકર શિંદેએ જણાવ્યું હતું કે હાલમાં પાલિકાના 166 ક્લિનિક અને 28 પૉલિક્લિનિક તથા ડાયગ્નોસિસ સેન્ટર છે, જેમાં ગાયનેકોલોજિસ્ટ, ડેન્ટિસ્ટ, ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ, ત્વચારોગ સહિત અનેક સેવાઓ ઉપલબ્ધ છે. એચબીટી ક્લિનિકમાં અત્યાર સુધી 23 લાખ નાગરિકેોએ સારવાર લીધી છે. ચાલુ વર્ષના અંત સુધીમાં દવાખાનાની સંખ્યા વધારાની 250 કરવાનો નિર્ણય લીધો છે. ઑક્ટોબર મહિનામાં 13 નવા આપલા દવાખાના ચાલુ કરવામાં આવવાના છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે