આમચી મુંબઈ

મુંબઈમાં મરાઠી ભાષાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો, ઉદ્યોગપતિ સુશીલ કેડિયાની ઓફિસમાં તોડફોડ

મુંબઈ: મુંબઈમાં મરાઠી ભાષાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. જેમાં ઉદ્યોગપતિ સુશીલ કેડિયાએ મરાઠી ભાષા નહિ શીખવાની વાત કરી હતી. જેની બાદ રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો દ્વારા તેમની વરલી ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે.

હું માનસિક તણાવમાં હતો

જોકે, આ તોડફોડ બાદ સુશીલ કેડિયાએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં વિવાદ બાદ સુશીલ કેડિયાની માફી પ્રકાશમાં આવી છે. તેમણે ઓફિસમાં તોડફોડની ઘટના બાદ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘જે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ હતી તેનાથી હું માનસિક તણાવમાં હતો.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો વિવાદ વકર્યો, સુશિલ કેડિયાએ રાજ ઠાકરેને પડકાર ફેંક્યો

સુશીલ કેડિયાએ શુક્રવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી

સુશીલ કેડિયાએ શુક્રવારે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું, ‘રાજ ઠાકરે, તમારા સેંકડો કાર્યકરો મને ધમકી આપી રહ્યા છે.તેનાથી હું મરાઠી ભાષામાં નિપુણ નહીં બની શકું. જો મને મરાઠી ભાષાની ગુણવત્તા પર વિશ્વાસ નથી, તો આટલી બધી ધમકીઓ વચ્ચે મને વધુ ડર છે કે જો હું એક શબ્દ પણ ખોટી રીતે બોલી શકું તો વધુ હિંસા થશે. મુદ્દો સમજો. ધમકીઓ નહીં, પ્રેમ લોકોને એકસાથે લાવે છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે મરાઠી ભાષાના વધતા વિવાદ વચ્ચે સુશીલ કેડિયાએ પોસ્ટ કરી હતી, ‘ધ્યાન આપો રાજ ઠાકરે, 30 વર્ષ સુધી મુંબઈમાં રહ્યા પછી પણ હું મરાઠી યોગ્ય રીતે જાણતો નથી અને તમારા ઘોર ગેરવર્તણૂકને કારણે મેં પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી તમારા જેવા લોકોને મરાઠી માનુષીઓની સંભાળ રાખવાનો ડોળ કરવાની છૂટ છે, ત્યાં સુધી હું મરાઠી નહીં શીખું.’

આ પણ વાંચો: મરાઠી ન બોલવા બદલ મારપીટ:પોલીસે તાબામાં લીધેલા મનસેના સાત કાર્યકર્તાને નોટિસ આપીને જવા દેવાયા…

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા સાથે જોડાયેલો તાજેતરનો વિવાદ

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા સાથે જોડાયેલો તાજેતરનો વિવાદ વર્ષ 2025 માં પ્રાથમિક શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવાના સરકારના નિર્ણયથી શરૂ થયો હતો. શિવસેના (UBT)અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા આ નીતિનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તેને મરાઠી ઓળખ અને સંસ્કૃતિ પર હુમલો ગણાવ્યો હતો. વિરોધ પ્રદર્શન બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એપ્રિલ અને જૂન 2025 ના સરકારી આદેશો રદ કર્યા અને એક નવી સમિતિની રચના કરવામાં આવી જે ભાષા નીતિ પર ભલામણો આપશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button