આમચી મુંબઈ

મરાઠા અનામત: આજે વિધાનસભાનું વિશેષ સત્ર

મુંબઈ: મરાઠા સમાજને કુણબી જાતિપત્ર આપીને તેમને ઓબીસી અંતર્ગત અનામત આપવા બાબતે મહારાષ્ટ્ર વિધાનસભાનું આજે મંગળવારે વિશેષ અધિવેશન બોલાવવામાં આવ્યું છે. આ અધિવેશનમાં શું નિર્ણય લેવામાં આવે છે તેના ઉપર બધાની નજર છે.
મરાઠા આંદોલનનું નેતૃત્વ કરનારા ચળવળકાર મનોજ જરાંગેને અનશન પર ઉતર્યાને આજે અગિયાર દિવસ થશે, ત્યારે વિશેષ સત્રમાં લેવામાં નિર્ણય બાદ તેમની ભૂખ હડતાળ શરૂ રહેશે કે પછી તે પારણા કરશે તે જણાશે.
બીજી બાજુ રાજ ઠાકરેએ આ અંગે કહ્યું છે કે અનામત આપવાનો વિષય રાજ્ય સરકાર નહીં, પરંતુ કેન્દ્ર સરકારનો છે અને વિશેષ સત્ર બોલાવવાથી કંઇપણ હાથ લાગશે નહીં. જ્યારે જરાંગેએ જ્યાં સુધી મરાઠા અનામતનો કાયદો અમલમાં ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનું નિવેદન આપ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?