મરાઠા સમુદાયને કુણબીનો દરજ્જો ન આપી શકાય | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મરાઠા સમુદાયને કુણબીનો દરજ્જો ન આપી શકાય

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ગરીબ મરાઠા સમુદાયને અનામતનો લાભ આપવો જોઈએ. સરકારે સાતારા અને હૈદરાબાદ ગેઝેટનો અભ્યાસ કરવો જોઈએ અને ગરીબ મરાઠા સમુદાયને અનામત આપવી જોઈએ.

રિપબ્લિકન પાર્ટીનો મત એ છે કે ગરીબ મરાઠા સમુદાયને અનામત મળવી જોઈએ. સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ કે ગરીબ મરાઠા સમુદાયને અનામત આપતી વખતે, તે ઓબીસી સમુદાય સાથે અન્યાય ન થવો જોઈએ, એમ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સામાજિક ન્યાય ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન રામદાસ આઠવલેએ સોમવારે જણાવ્યું હતું.

આ પણ વાંચો: મરાઠા આંદોલનનો ચોથો દિવસ: જરાંગેએ પાણી છોડ્યું

તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકારે મરાઠા સમુદાયને અનામતનો અધિકાર આપવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને મરાઠા નેતા મનોજ જરાંગેનું હિંસક આંદોલન ટૂંક સમયમાં સમાપ્ત થવું જોઈએ.

રામદાસ આઠવલેએ વર્ષા બંગલો પર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળીને મરાઠા અનામતના મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે મુખ્ય પ્રધાનને વિનંતી કરી છે કે મરાઠા સમુદાયના ગરીબ મરાઠાઓને અનામત આપવાનો તાત્કાલિક માર્ગ શોધો.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button