આમચી મુંબઈ

‘તો….સરકાર જવાબદાર હશે…’ મનોજ જરાંગેનું મરાઠા આરક્ષણ પર 24 કલાકનું અલ્ટિમેટમ

મહારાષ્ટ્ર સરકાર ટેન્શનમાં

મુંબઇઃ મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન હવે હિંસક વળાંક લઇ રહ્યું છે. અનામતને લઇને ઠેર ઠેર હિંસા, આગચંપીના બનાવો બની રહ્યા છે. અજીત પવાર જૂથના નેતા હસન મુશ્રીફની કારમાંતોડફોડ કરવામાં આવી હોવાના સમાચાર આવ્યા છે. મરાઠા આરક્ષણ વિરોધના હિંસક વળાંકને જોતા રાજ્યના ભાગોમાં ઇન્ટરનેટ અને બસ સેવાઓ ઠપ થઈ ગઈ છે. દરમિયાન, મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેને અલ્ટિમેટમ આપ્યું છે અને કહ્યું છે કે, પાસે મંગળવાર રાત અને બુધવાર સુધીનો સમય છે. આ પછી તે પાણી પીવાનું પણ બંધ કરી દેશે. જો મરાઠા આરક્ષણ નહીં આપવામાં આવે તો જે પણ પરિણામ આવે તેને માટે સરકાર જવાબદાર રહેશે.

મનોજ જરાંગે પાટીલે જણાવ્યું હતું કે લોકોને અડધું આરક્ષણ જોઇતું નથી. લોકો સંપૂર્ણ અનામત ઇચ્છે છે, જે કોર્ટની કસોટીમાંથી પાસ થઇ શકે. રાજ્ય સરકાર મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવે કે કોઇ પણ ઉપાય કરે, પણ તુરંત નિર્ણય કરે. આ મુદ્દા માટે તેમણે લડી મરવાની તૈયારી દેખાડી છે.


નોંધનીય છે કે મહારાષ્ટ્રના મહેસૂલ વિભાગ દ્વારા મરાઠા સમુદાયના સભ્યોને માન્ય દસ્તાવેજો સાથે કુણબી પ્રમાણપત્રો જારી કર્યાના એક દિવસ બાદ મનોજ જરાંગે પાટીલની આ ધમકી આવી છે. હિંસક આરક્ષણ વિરોધોએ શિંદે સરકારને આઝાદી પૂર્વેના નિઝામ યુગ દરમિયાન કુણબી પેટાજાતિના ભાગ રૂપે નોંધાયેલા લોકોના વંશજોને પ્રમાણપત્રો આપવાની ફરજ પાડી હતી.


મુખ્યમંત્રી એકનાથ શિંદેના આ પગલાનો ઉદ્દેશ્ય હિંસક અનામત વિરોધ બાદ મરાઠા સમુદાયને શાંત કરવાનો અને રાજ્યમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો હતો, પણ હવે મનોજ જરાંગે પાટીલે 24 કલાકનું અલ્ટિમેટમ આપતા રાજ્ય સરકાર બેકફૂટ પર આવી ગઇ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…