આમચી મુંબઈમહારાષ્ટ્ર

આ બેઠક પર ચૂંટણી રદ થશે? મેનકા ગાંધીએ અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી કરી

અલાહાબાદ: સપા સાંસદ રામ ભુઆલ નિષાદ સામે 43,174 મતોથી હારી ગયેલા મેનકા ગાંધીએ શનિવારે કોર્ટ રજિસ્ટ્રીમાં ચૂંટણી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ અરજી પર લખનઉ બેન્ચમાં 30 જુલાઈએ સુનાવણી થવાની શક્યતા છે.

અરજીમાં મેનકા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ભુઆલ નિષાદે તાજેતરની લોકસભા ચૂંટણીમાં નોમિનેશન ફાઇલ કરતી વખતે સબમિટ કરેલા સોગંદનામામાં તેના ગુનાહિત ઈતિહાસ સાથે જોડાયેલી માહિતી છુપાવી હતી.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે નિષાદ સામે 12 ફોજદારી કેસ પેન્ડિંગ છે, જ્યારે તેણે પોતાના ચૂંટણી એફિડેવિટમાં માત્ર આઠ કેસની માહિતી આપી હતી.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે નિષાદે ગોરખપુર જિલ્લાના પિપરાચ પોલીસ સ્ટેશન અને બરહાલગંજ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત મામલાઓની માહિતી છુપાવી હતી. અરજીમાં હાઈકોર્ટને નિષાદની ચૂંટણી રદ કરવા અને મેનકા ગાંધીને ચૂંટાયેલા ઉમેદવાર તરીકે જાહેર કરવા વિનંતી કરવામાં આવી છે.

આ પન વાચો : અમિત શાહ પરના નિવેદન પર ભાજપના નેતાઓએ શરદ પવારને ઘેર્યા, કર્યો વળતો પ્રહાર…

પૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી વતી એડવોકેટ પ્રશાંત સિંહ અટલે ચૂંટણી અરજી દાખલ કરી છે. કોર્ટમાં દસ્તાવેજો રજૂ કરતા તેણે અરજીમાં કહ્યું છે કે રામ ભુઆલ નિષાદે ખોટી અને અયોગ્ય માહિતી આપીને ચૂંટણી લડી છે. આ કારણે તેમની ચૂંટણી રદ થવી જોઈએ. તેની સામે 12 કેસ નોંધાયેલા છે, પરંતુ તેણે માત્ર આઠનો જ ઉલ્લેખ કર્યો છે.

ગત ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના નેતા રામભુઆલ નિષાદે મેનકા ગાંધીને 43,174 વોટથી હરાવ્યા હતા. આ પહેલા મેનકા ગાંધીએ 2019માં સુલતાનપુર સીટ જીતી હતી જ્યારે તેમના પુત્ર વરુણ ગાંધીએ 2014માં જીત મેળવી હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button