આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં પ્રસ્તાવિત એસટી કમિશનથી 1.35 કરોડથી વધુ આદિવાસીઓને લાભ થશે: પ્રધાન…

મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અશોક ઉઇકેએ શુક્રવારે જણાવ્યું હતું કે સૂચિત રાજ્ય-સ્તરીય અનુસૂચિત જનજાતિ કમિશન (એસટી)થી 1.35 કરોડથી વધુ આદિવાસી વસ્તીને લાભ થશે કારણ કે તે સમુદાયના સભ્યો દ્વારા સામનો કરવામાં આવતી વિવિધ સમસ્યાઓના ઉકેલમાં આ કમિશન મહત્ત્વની ભૂમિકા ભજવશે.

આ અઠવાડિયાના પ્રારંભે રાજ્ય કેબિનેટે સમાન કેન્દ્રીય સંસ્થાની જેમ એસટી માટે કમિશનની સ્થાપનાને મંજૂરી આપી હતી.
ઉઇકેએ કહ્યું, ‘આ કમિશન રાજ્યના 1.35 કરોડ આદિવાસીઓ સાથે સીધો સંદેશાવ્યવહાર સક્ષમ બનાવશે. હું આ મહત્વપૂર્ણ પગલા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારનો આભાર માનું છું.’

આદિજાતિ વિકાસ ખાતાના પ્રધાને જણાવ્યું હતું કે કમિશનમાં એક અધ્યક્ષ અને ચાર બિન-સરકારી સભ્યો, વિવિધ વિભાગોના 26 અધિકારીઓનો સમાવેશ થશે. રાજ્ય કેબિનેટે તેના કાર્ય માટે અલગ બજેટ બનાવવાની દરખાસ્તને પણ મંજૂરી આપી છે.

‘મહારાષ્ટ્ર એસટી કમિશનના અસરકારક અમલ માટે સકારાત્મક પગલાં લઈ રહ્યું છે, જે આદિવાસી સમુદાયોમાં આરોગ્ય, શિક્ષણ અને વિસ્થાપનને લગતા મુદ્દાઓને સંબોધવામાં મુખ્ય ભૂમિકા ભજવશે,’ એમ તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button