આમચી મુંબઈ

ઓબીસી અનામતનો ચુકાદો મુલતવી, સત્તાધારી પક્ષોમાં અસ્વસ્થતા: વિપક્ષનો આશાવાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ઓબીસીની અનામત અંગે સુપ્રીમ કોર્ટે ફરી એકવખત આકરું વલણ અપનાવતા મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી લાંબા વિલંબ પછી યોજાઈ રહી હોવા છતાં તેમાં સત્તાધારી પક્ષોની સમસ્યા અને વિપક્ષોનો આશાવાદ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જે 288 સંસ્થાની ચૂંટણી થવાની છે તેમાં સત્તાધારી મહાયુતિમાં ભાજપ-શિવસેના વચ્ચેની ખેંચતાણ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ઓબીસીને મુદ્દે લટકતી તલવાર મુખ્ય મુદ્દા બની રહે એવી શક્યતા છે.

246 મ્યુનિસિપલ કાઉન્સિલો અને 42 નગર પંચાયતોની ચૂંટણીઓ બીજી ડિસેમ્બરના રોજ યોજાવાની છે.
સૌથી મહત્વપૂર્ણ તાત્કાલિક અનિશ્ર્ચિતતા સુપ્રીમ કોર્ટ દ્વારા ઉદ્ભવી છે, જેણે પચીસ નવેમ્બરે સ્પષ્ટ કર્યું હતું કે 57 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ પરિણામો (પ્રથમ તબક્કામાં), જ્યાં ક્વોટા પર 50 ટકા મર્યાદાનો ભંગ કરવામાં આવ્યો છે, તે ઓબીસી અનામત મુદ્દા પરના તેના અંતિમ ચુકાદાને આધીન રહેશે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, મહારાષ્ટ્રમાં 27 ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે

કોર્ટે અગાઉ ચેતવણી આપી હતી કે જો ક્વોટા મર્યાદાનો ભંગ કરવામાં આવશે તો ચૂંટણીઓ રદ થઈ શકે છે. રાજ્ય ચૂંટણી પંચે પુષ્ટિ આપી છે કે 57 સૂચિત સંસ્થાઓમાં 50 ટકા અનામત મર્યાદા ઓળંગાઈ ગઈ છે.

શિંદેએ દહાણુમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે ઘમંડ રાવણના પતનનું કારણ બન્યું અને રાવણની લંકાને તેના ઘમંડને કારણે આગ લાગી અને તે ખતમ થઈ ગઈ હતી.

રાજકીય નિરીક્ષકોએ આ ટિપ્પણીઓને ભાજપ પર છુપી ટીકા ગણાવી કારણ કે શિવસેનાના મંત્રીઓ દ્વારા કેબિનેટ બેઠક અવગણ્યા પછી આ પહેલી હતી.

અન્યત્ર એક રેલીને સંબોધતા ફડણવીસે કહ્યું હતું કે, ‘અમે ભગવાન રામના અનુયાયીઓ છીએ, અને અમે લંકામાં રહેતા નથી.’

આ પણ વાંચો: ઓબીસી અનામત સાથે ચૂંટણી: સુપ્રીમ કોર્ટના ચુકાદા પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું ઓબીસી અનામત અંગેના આ ચુકાદાના બે અર્થ થાય છે

બુધવારે, શિવસેનાના ધારાસભ્ય નીલેશ રાણેએ આરોપ લગાવ્યો કે બે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા સિંધુદુર્ગ જિલ્લાના માલવણ ખાતે ભાજપના કાર્યકરના ઘરે મતદારોને વિતરણ કરવા માટે રોકડા મળી આવ્યા હતા.
મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ મતદારોના વિતરણ માટે કથિત રોકડ રકમ જપ્ત કરવામાં જો કોઈ ગેરરીતિ જોવા મળે તો કડક કાનૂની કાર્યવાહી કરવાની હાકલ કરી હતી, પરંતુ નિલેશ રાણેના કાર્યકરના ઘરમાં, જેમાં બેડરૂમનો પણ સમાવેશ થાય છે, ઘૂસીને ‘સ્ટિંગ ઓપરેશન’ અંગે સવાલ ઉઠાવ્યા હતા.

પ્રદેશ ભાજપ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણે કહ્યું કે તેઓ રાણેના આરોપોનો જવાબ આપશે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પહેલા તબક્કા સુધી ગઠબંધનને બચાવવા પર ભાર મૂક્યો હતો.

હિંગોલીના ભાજપના વિધાનસભ્ય તાનાજી મુટકુલે પણ સાથી પક્ષ શિવસેનાના વિધાનસભ્ય સંતોષ બાંગર સાથે કડવા શાબ્દિક યુદ્ધમાં વ્યસ્ત છે.

મતદાર યાદીઓમાં કથિત વિસંગતતાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરનારા વિપક્ષી એમવીએના નેતાઓ આશા રાખી રહ્યા છે કે મહાયુતિની ‘મૈત્રીપૂર્ણ લડાઈઓ’ના પરિણામે શાસક પક્ષોના મતોનું વિભાજન કરશે અને તેમના ઉમેદવારોને સાંકડી જીત મેળવવા દેશે.

પરંતુ રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના સમાવેશ અંગે એમવીએના સાથી પક્ષો એક જ ધુરી પર નથી. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સેના (યુબીટી) મનસેને સાથે રાખવા માંગે છે, પરંતુ કોંગ્રેસમાં આ મુદ્દા પર વિભાજન જોવા મળી રહ્યું છે.

ચૂંટણીનો પ્રથમ તબક્કો આ સ્થાનિક સંસ્થાઓના 6,859 સભ્યો અને 288 પ્રમુખોનું ભાવિ નક્કી કરશે, જેમાં 1.07 કરોડથી વધુ પાત્ર મતદારો 13,355 મતદાન મથકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચને 51,000 થી વધુ નામાંકન મળ્યા છે. ઉમેદવારોની અંતિમ યાદી એક કે બે દિવસમાં પ્રકાશિત થવાની ધારણા છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button