રાજ્યના ૧.૫ લાખ ગોવિંદાઓને મળશે વિમા સંરક્ષણ | મુંબઈ સમાચાર

રાજ્યના ૧.૫ લાખ ગોવિંદાઓને મળશે વિમા સંરક્ષણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાજ્યમાં દહીહાંડીનો તહેવાર ભારે ધૂમધામ પૂર્વક ઊજવવામાં આવે છે. મુંબઈ સહિત રાજ્યના હજારો યુવક-યુવતીઓ ‘ગોવિંદા’ તરીકે થર પર થર રચીને હાંડી ફોડતા હોય છે.

છેલ્લા અનેક વર્ષોથી હાંડી ફોડવા માટે થર લગાવવાની પ્રેકટીસ દરમ્યાન અને તહેવાર દરમ્યાન થર લગાવતા સમયે ગોવિંદાઓના પડી જવાના અને જખમી થવાનું પ્રમાણ વધી ગયું છે.

આપણ વાંચો: Janmashtami Celebration ગોવિંદાઓને ‘ફૂલ-પ્રુફ’ સુરક્ષા, મળશે ક્રેનની સુવિધાઃ પાલિકાને કડક સૂચનાઓ અપાઇ

ગોવિંદાઓની સુરક્ષા અને તેમના આરોગ્યની દૃષ્ટિે વિમા સંરક્ષણ મળે તે માટે લાંબા સમયથી રાજ્ય સરકાર પાસે માગણી કરવામાં આવી રહી હતી. આ માગણીને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને રાજ્યના ૧.૫૦ ગોવિંદાઓને ‘ગોવિંદા સમન્વય સમિતિ (મહારાષ્ટ્ર)’ આ આયોજન સમિતિના માધ્યમથી ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ કંપનીનું વિમા સંરક્ષણ આપવામાં આવવાનું છે.

રાજ્ય નાયબ મુખ્ય પ્રધાને ગોવિંદાઓ માટે આવશ્યક વીમાની રકમ તાત્કાલિક ધોરણે મંજૂર કરી હતી. ગયા વર્ષે ૧.૨૫ લાખ ગોવિંદાઓને વીમા સંરક્ષણ આપવામાં આવ્યું હતું અને આ વર્ષે આ આંકડો ૧.૫૦ લાખ સુધી પહોંચી ગયો છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button