પ્લાસ્ટિક સામે ઝુંબેશ: મહારાષ્ટ્ર સચિવાલયમાં કાપડની થેલીનું વેન્ડિંગ મશીન લગાવાશે
આ ઝુંબેશના ભાગ રૂપે સચિવાલયના તમામ વિભાગોને સિંગલ-યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ એકત્રિત કરવા અને ત્રિમુર્તી પાસે જમા કરવાનો આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર ગુરુવારે વિશ્ર્વ પર્યાવરણ દિવસ પહેલાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક સામેની ઝુંબેશમાં મંત્રાલય (રાજ્ય સચિવાલય) ખાતે કાપડની થેલીનું વેન્ડિંગ મશીન સ્થાપવાની યોજના બનાવી રહી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
આ ઝુંબેશના ભાગ રૂપે સચિવાલયના તમામ વિભાગોને સિંગલ-યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ તેમની ઓફિસોમાં એકત્રિત કરવા અને જમા કરવા માટે કહેવામાં આવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
રાજ્ય પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગે દૈનિક મુલાકાતીઓ માટે પ્રદર્શન તરીકે ગુરુવારે સચિવાલયમાં કાપડની થેલીનું વેન્ડિંગ મશીન સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે મંગળવારે એક આદેશ જારી કરીને તમામ વિભાગોને મંત્રાલયમાં ત્રિમૂર્તિ લગાવવામાં આવી છે તે સ્થાન પર તેમની ઓફિસોમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ જમા કરવા જણાવ્યું હતું.
પર્યાવરણ વિભાગે પુણેમાં શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર અને બીડ જિલ્લાના પરલી વૈજનાથ ખાતેના મંદિર સહિત અગ્રણી સ્થળોએ કાપડની થેલીના વેન્ડિંગ મશીનો પહેલેથી જ સ્થાપિત કરી દીધા છે.
આ મશીનો 10 રૂપિયામાં પર્યાવરણને અનુકૂળ કાપડની થેલીઓ વેચે છે, જે પ્લાસ્ટિકની થેલીઓના ટકાઉ વિકલ્પોને પ્રોત્સાહન આપે છે.
ગયા મહિને પુણેમાં સુવિધાના ઉદ્ઘાટન સમયે રાજ્યના પર્યાવરણ પ્રધાન પંકજા મુંડેએ પ્લાસ્ટિક-મુક્ત વિકલ્પો વિશે જાગૃતિ લાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
‘ધાર્મિક સ્થળોએ પ્લાસ્ટિકની થેલીઓનો વ્યાપક ઉપયોગ જોવા મળે છે. આ કાપડની થેલી વેન્ડિંગ મશીનો જેવા વિકલ્પો અપનાવીને, આપણે પર્યાવરણના સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપી શકીએ છીએ,’ એમ તેમણે દગડુશેઠ ટ્રસ્ટના સમર્થન માટે પ્રશંસા કરતા કહ્યું હતું.