આમચી મુંબઈ

શિંદે-ફડણવીસ દિલ્હીમાં, અજિત પવાર કહે છે કે મને તો ખબર જ નથી, મને પૂછીને થોડી ગયા છે…..

મુંબઇ: રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અચાનક દિલ્હી ગયા, જોકે અંગે પોતાને કોઇ જ જાણ નથી એમ અજિત પવારે કહ્યું હતું. હું આખો દિવસ વ્યસ્ત હતો એમ અજિત દાદાએ કહ્યું હતું. શિંદે-ફડણવીસ મને પૂછીને દિલ્હી ગયા નથી. હું આ અંગેની જાણકારી મેળવીને પછી વાત કરીશ એમ પણ અજિત પવારે કહ્યું હતું.

મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનની દિલ્હી મુલાકાત અંગે પ્રિતિક્રિયા આપતાં અજિત પવારે કહ્યું કે, હું આજે સવારથી જ મંત્રાલયમાં હતો. તેથી શું થયું છે એ અંગેની મને કોઇ જ જાણ નથી. હું આ અંગે જાણકારી મેળવી લઉં છું અને પછી જ વાત કરી શકીશ. આવતી કાલે હું અહીં નથી હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસમાં સાથે છું. શિંદે અને ફડણવીસ દિલ્હી કેમ ગયા એ અંગે મને કોઇ જ જાણકારી નથી.


આ અંગે ફોન પર એમની સાથે ચર્ચાનો કોઇ અર્થ નથી. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી ગયા હોવાની જાણકારી મળી છે. હજી સુધી તેમની દિલ્હી વિઝીટ અંગેનું કારણ સ્પષ્ટ થયું નથી. જોકે અચાનક દિલ્હીનો પ્રવાસ હવે રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે.

રાજ્યમાં ચાલી રહેલ મરાઠા અનામત આંદોલન અંગે ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન દિલ્હી ગયા હોવાની ચર્ચા થઇ રહી છે. છેલ્લાં કટેલાંક દિવસોથી રાજ્યના રાજકીય કામોએ ગતી પકડી છે. રાજ્ય પ્રધાન મંડળનું વિસ્તરણ, મહાનમંડળની વહેંચણી, વિધાન સભ્યોની અપાત્રતા અંગેની કાર્યવાહી અને સૌથી મહત્વની વાત એટલે મરાઠા અનામત. ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહને મળવા ગયા હોવાની ચર્ચાઓ થઇ રહી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત