આમચી મુંબઈ

ત્રણ દિવસ રાતના એક વાગ્યા સુધી દારૂની દુકાનો ખુલ્લી

મુંબઈ: આખા રાજ્યમાં હાલમાં નવા વર્ષના સ્વાગતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક ઓફિસસમાં ક્રિસમસ પહેલાં જ ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી છે, ઘણી ઓફીસસમાં તો સિક્રેટ સેન્ટા જેવી રમત પણ રમવામાં આવે છે, કારણ કે ક્રિસમસ વેકેશનમાં અનેક લોકો ફરવા જાય છે.

હમણાથી જ રાજ્યના લોકો ફેસ્ટિવ મૂડમાં આવી ગયા છે. દરમીયાન રાજ્ય સરકારે મદ્યપ્રેમીઓને ખૂશી થશે એવો નિર્ણય લીધો છે. હવે આ ક્રિસમસ અને ૩૧ ડિસેમ્બરની ઉજવણી સમયે દારુની દુકાનો અને બારની સમય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે. ૨૪, ૨૫ અને ૩૧મી ડિસેમ્બરના રોજ રાતે ૧ વાગ્ય સુધી દારુ વેચવાની છૂટ આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર દારુબંદી કાયદાની કલમ ૧૩૯(૧) (સી) અને કલમ ૧૪૩ (૨) (એચ) (ચાર) હેઠળ ક્રિસમસ અને નવવર્ષ નિમિત્તે ૨૪, ૨૫ અને ૩૧મી ડિસેમ્બરના રોજ રાજ્યની વિવિધ દારુની દુકાનો નિર્ધારીત સમય બાદ રાત્રે મોડે સુધી ખૂલ્લી રાખવાની મંજૂરી આપી છે. એટલું જ નહીં, પણ બિયર બાર રાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી ખૂલ્લા રાખવાની પરવાનગી આપી છે. એફએલબીઆર-૨ પ્રકારની દારુ વેચનારી દુકાનો ૧ વાગ્યા સુધી ખૂલ્લી રાખી શકાશે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…