કુર્લા અને ચાંદીવલીના લોકોને ઉકાળીને પાણી પીવાની સલાહ | મુંબઈ સમાચાર

કુર્લા અને ચાંદીવલીના લોકોને ઉકાળીને પાણી પીવાની સલાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈના ‘એલ’વોર્ડમાં નવી પાણીની ટાંકીમાંથી પાણીપુરવઠો કરવામાં આવવાનો હોવાથી નાગરિકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે.

પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ ચાંદિવલી-સંઘર્ષ નગરના રહેવાસીઓ માટે મુંબઈ મહાનગરપાલિકાએ વિજય અગ્નિશમન રોડ પર આવેલા પાલિકાના ઉદ્યાનમાં નવી પમ્પિંગ ટેન્કનું બાંધકામ તાજેતરમાં જ પૂરું કર્યું છે. આ ટાંકીમાંથી મંગળવાર, ૧૯ ઑગસ્ટ ૨૦૨૫થી પાણી પુરવઠો કરવામાં આવવાનો છે. નવી ટાંકીમાંથી પાણીપુરવઠો કરવામાં આવવાનો હોવાથી નાગરિકોે તકેદારીના પગલારૂપે આગામી ચારથી પાંચ દિવસ પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button