આમચી મુંબઈ

મારી ઓકાત નથી તો.. ટૂંક સમયમાં મુંબઈમાં એક શો કરીશ: સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાનો મુખ્ય પ્રધાનને પડકાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
હાસ્ય કલાકાર કુણાલ કામરા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે વ્યંગાત્મક ગીત રજૂ કર્યા બાદ સમાચારમાં આવ્યા હતા. આ કેસમાં તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો હતો. આ કારણે કુણાલ કામરા છેલ્લા કેટલાક દિવસોથી સમાચારમાં છે. હવે કુણાલ કામરાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર કટાક્ષ કર્યો હોવાનું કહેવાય છે.

કુણાલ કામરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નવી પોસ્ટ કરી છે. તેમણે આ પોસ્ટમાં સીધા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ટેગ કર્યા છે. ‘જો મારી ઓકાત નથી, તો શિંદે અને તેમના કાર્યકરોને કહો કે મારી અવગણના કરો. મારી કોઈ ઓકાત નથી, જો ચાર લોકો મારો શો નથી જોઈ રહ્યા, તો તમે કૃપા કરીને મારી અવગણના કેમ કરતા નથી? કુણાલે પોસ્ટ કરી છે કે તે ઓક્ટોબરમાં નાશિક, મુંબઈ, નવી મુંબઈ, નાગપુર, પુણે, છત્રપતિ સંભાજીનગરમાં શો કરશે. ટૂંક સમયમાં હું મહારાષ્ટ્રમાં સ્ટેન્ડ-અપ કોમેડી શો કરીશ.

આ પણ વાંચો: કુણાલ કામરાની ધરપકડ ન કરતા, તપાસ ચાલુ રાખો: કોર્ટ

કુણાલ કામરાની વાયરલ પોસ્ટ પર દેવેન્દ્ર ફડણવીસના ફેન પેજ દ્વારા આપવામાં આવેલા પ્રતિભાવે બધાનું ધ્યાન ખેંચ્યું. ‘દર વખતે જ્યારે ચૂંટણી નજીક આવે છે, ત્યારે તમારા શો રાજકીય રેલીઓમાં ફેરવાઈ જાય છે. પ્રેક્ષકોમાં ચાર જ લોકો હોય છે, પરંતુ ધ્યાન આકર્ષિત કરવા માટે 400 ટ્વીટ કરવામાં આવે છે. તમારી અવગણના કરવામાં આવતી નથી, તમે ફક્ત બિનમહત્વપૂર્ણ છો,’ એમ તેમણે કહ્યું હતું.

બીજી તરફ અનેક યુઝર્સે કામરાને શો રદ કરવાની સલાહ આપી છે.

મુંબઈમાં એક શો દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ‘ગદ્દાર’ કહેવા બદલ કામરા સામે એફઆઈઆ દાખલ કરવામાં આવ્યો હતો. શિંદે જૂથના કાર્યકરો દ્વારા જ્યાં શો યોજાયો હતો તે સ્થળે પણ તોડફોડ કરવામાં આવી હતી. આ શો દરમિયાન કામરાએ ‘દિલ તો પાગલ હૈ’ ફિલ્મના એક ગીતની નકલ કરી હતી અને તેમાં શિંદેને ‘ગદ્દાર’ કહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button