આમચી મુંબઈ

કિશોરનું અપહરણ કરીને₹ ૩૦ લાખની ખંડણી માગી

પુણે: ૧૪ વર્ષના કિશોરનું અપહરણ કરીને તેના છુટકારા માટે પરિવારજનો પાસે રૂ. ૩૦ લાખની ખંડણી માગવા બદલ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓની ઓળખ તેજન લોખંડે, અર્જુન રાઠોડ અને વિલાસ મ્હસ્કે તરીકે થઇ હોઇ તેઓ હોટેલ ખોલવા માગતા હતા અને તેમને નાણાંની જરૂર હતી. આથી તેમણે કિશોરના અપહરણની યોજના બનાવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર પિંપરી-ચિંચવડના તાથાવડે વિસ્તારમાંથી મંગળવારે સવારે ભંગારના વેપારીના ૧૪ વર્ષના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું.
કિશોરના પરિવારે આ પ્રકરણે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ટીમ તૈયાર કરી તપાસ આદરી હતી. (પીટીઆઇ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત