આમચી મુંબઈ

દરિયાકિનારાને સ્વચ્છ રાખવાની જવાબદારી દરેકની છે: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દરેક મોટા કાર્યની શરૂઆત નાની વસ્તુઓથી થાય છે. રાજ્યપાલ સીપી રાધાક્રિષ્નને ભારપૂર્વક જણાવ્યું હતું કે આજે દરિયાકાંઠાની સ્વચ્છતા માટે જનજાગૃતિનો દિવસ છે અને દરિયાકાંઠાની સ્વચ્છતાની આ પહેલ ‘સ્વચ્છ ભારત, મહાન ભારત’ના ખ્યાલને આકાર આપશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે દરિયાકિનારાને સ્વચ્છ રાખવાની જવાબદારી દરેકની છે.

દરિયા કિનારાની સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડેનું આયોજન કરવામાં આવે છે. તદનુસાર જુહુ બીચ પર પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય અને શ્રમ અને રોજગાર મંત્રાલય, મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ મહાનગરપાલિકા, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સહયોગથી બીચ સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે. રાજ્યમાં પણ તાજેતરમાં ‘સ્વચ્છતા એક સેવા’ના પખવાડિયાની શરૂઆત કરવામાં આવી છે અને રાજ્યમાં 4500 સ્થળોએ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યને 720 કિમીની લંબાઇ સાથે કુદરતી સૌંદર્યના અનેક દરિયાકિનારાનો આશીર્વાદ મળ્યો છે. વિશ્ર્વભરના પ્રવાસીઓ પણ સ્વચ્છ બીચ પસંદ કરે છે. આ દરિયાકિનારાને સ્વચ્છ રાખવાની જવાબદારી દરેકની છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે મુંબઈમાં સંપૂર્ણ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે ચોમાસા પછી નિયમિતપણે ચાલુ રહેશે, જેના પરિણામે પ્રદૂષણમાં મોટો ઘટાડો થયો છે. મુંબઈ આંતરરાષ્ટ્રીય કક્ષાનું શહેર છે, ચાલો તમામ સરકારી તંત્ર, સામાજિક સંસ્થાઓ અને નાગરિકોની સંયુક્ત ભાગીદારીથી આ શહેર અને દરિયાકિનારાને સ્વચ્છ રાખીએ, એવી અપીલ તેમણે આ પ્રસંગે કરી હતી. આ પ્રસંગે તેમણે ઉપસ્થિતોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…