મહારાષ્ટ્રમાં ૨૨ જાન્યુઆરીએ જાહેર રજા | મુંબઈ સમાચાર

મહારાષ્ટ્રમાં ૨૨ જાન્યુઆરીએ જાહેર રજા

મુંબઈ: અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે આ ઐતિહાસિક પ્રસંગને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે ૨૨ જાન્યુઆરીએ સાર્વજનિક રજા જાહેર કરી છે. રાજ્ય સરકારે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારને ગૃહ ખાતા દ્વારા આપવામમાં આવેલા અધિકારોને પગલે ૨૨ જાન્યુઆરીએ સાર્વજનિક રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

Back to top button