બાળકને દત્તક લેવા પતિની સાથે પરિવારનો સપોર્ટ જરૂરી, કે શેફાલીએ બદલ્યું પોતાનું મન? ઈન્ટરવ્યુ વાઈરલ…

કાંટા લગા ગર્લ તરીકે ઓળખાતી શેફાલી જરીવાલાનું ગઈકાલે મોડી રાતે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. આ રીતે અચાનક એક્ટ્રેસના નિધનના સમાચાર આવતા પરિવારના સભ્યો અને ફેન્સ આઘાતમાં સરી પડ્યા છે. જોકે, આ બધ વચ્ચે હાલમાં એક્ટ્રેસનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેણે પોતાની એક ઈચ્છા વિશે વાત કરી હતી. આ ઈન્ટરવ્યુ વિશે વાંચીને ફેન્સ શેફાલીના વખાણ કરતાં નથી થાકી રહ્યા…
શેફાલી જરીવાલાનો આ વાઈરલ થઈ રહેલાં ઈન્ટરવ્યુનો આ હિસ્સો પારસ છાબડાના પોડકાસ્ટનો છે. આ ઈન્ટરવ્યુમાં શેફાલીએ જણાવ્યું હતું કે હંમેશાથી એક દીકરીને દત્તક લેવાની ઈચ્છા હતી. પરંતુ બાદમાં મારા પતિ પરાગ ત્યાગી અને મારું મન બદલાઈ ગયું.
શેફાલીએ આ પોડકાસ્ટમાં આગળ જણાવ્યું હતું કે થોડાક સમયે પહેલાં સુધી મારી આર્થિક સ્થિતિ સારી નહોતી, પણ આજે મારી પાસે બધું જ છે. અમે ગમે ત્યારે ફેમિલી પ્લાનિંગ કરી શકીએ છીએ. પરંતુ મને લાગતું હતું કે દુનિયાના ઘણા બાળકો છે, જેમને ઘર જોઈએ છીએ. અમે એવી જગ્યા પર છીએ જ્યાં અમે એમને એ બધું આપી શકીએ છીએ, જેનાથી એમને ખુશી મળશે. પોતાના બાળકોને બધા પ્રેમ કરે છે, પણ કોઈ બીજાના બાળકોને તમે બધું આપીને ઉચ્છેરો છો. હું એક બાળકીને એડોપ્ટ કરીશ, કારણ કે છોકરાઓને તો સરળતાથી ઘર મળી જાય છે. મને લાગે છે કે એક દીકરીનો પોતાના માતા-પિતા સાથે અલગ સંબંધ હોય છે.
આપણ વાંચો આટલી છે Shefali Jariwalaની નેટવર્થ, પહેલા વીડિયો સોન્ગ માટે મળી આટલી ફી…
મારો મારા માતા-પિતા સાથે એક સુંદર સંબંધ છે. આ જ કારણ છે કે હું એક દીકરીને ખોળે લેવા માંગતી હતી. દીકરી માતા-પિતાના સુખ-દુઃખને સમજે છે. બાળકને દત્તક લેવા માટે તમને પતિની સાથે સાથે જ પરિવારનો સપોર્ટ પણ જરૂરી છે, એવું તેણે વધુમાં જણાવ્યું હતું.
પોડકાસ્ટમાં શેફાલીએ આગળ કહ્યું હતું કે તમારા ખુદના કોઈ બાળકો કેમ નથી, આ સવાલ કોઈને કોઈ પુછતું જ રહે છે. પરાગ અને હું એવા માહોલમાંથી નથી આવતા. દીકરીને ખોળે લેવું એ મારું સપનું છે. એક્ટ્રેસે એ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે બાળક દત્તક લેવું એ એક લાંબી પ્રક્રિયા છે અને આ સાથે લીગલ મેટર્સ જેમ કે ઘર-પરિવાર કેવું છે વગેરે વગેરે. બાળક એડોપ્ટ કરવામાં અમને વર્ષો લાગી જાત, એટલે અમે આ પગલું લેવાનું માંડી વાળ્યું હતું.