ટૅરિફનાં વાવાઝોડાં વચ્ચે ભારતે એપલના 5000 કરોડ રૂપિયા બચાવ્યા

મુંબઇ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ચીન પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી ત્યારે આખી દુનિયા મંદી વિશે ચિંતિત થઈ ગઈ અને આ સાથે એપલ કંપનીએ પણ પોતાના મગજનો ઉપયોગ કર્યો. એપલને ખ્યાલ આવ્યો કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેને 5000 કરોડ રૂપિયાથી વધુનું સીધું નુકસાન થઈ શકે છે. તે મુશ્કેલ સમયમાં ભારત પાસેથી મદદ માંગવામાં આવી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો અને થોડી જ વારમાં 600 ટન આઇફોન અમેરિકા મોકલવામાં આવ્યા.
અહીં સમજવા જેવી વાત એ છે કે અમેરિકાએ હાલમાં ચીન પર 125 ટકા ટેરિફ લાદ્યો છે. આવામાં જો ચીનથી આઇફોન સપ્લાય કરવામાં આવે તો કંપનીને 125 ટકા ટેરિફનો સીધો ફટકો પડત. આવી સ્થિતિમાં એપલે ભારતમાં તેનો પુરવઠો વધારવાનો નિર્ણય લીધો. તે પણ એટલા માટે કે ટ્રમ્પે હાલમાં ભારત પર ફક્ત 26 ટકા ટેરિફ લાદ્યો છે અને તે પણ હાલમાં 90 દિવસ માટે પ્રતિબંધિત છે. આવામાં જો એપલ તેના આઇફોન ભારતમાંથી અમેરિકા મોકલે છે તો તેને કોઈ વધારાનો ટેક્સ ચૂકવવો પડશે નહીં.
બીજા શબ્દોમાં કહીએ તો, જો એપલ તેનો 1,599નો શઙવજ્ઞક્ષય 16 ઙજ્ઞિ ખફડ્ઢ ચીનથી યુએસ મોકલે છે, તો ટેરિફને કારણે તેની કિંમત 2,300 સુધી પહોંચી જશે. પરંતુ એપલે પોતાના મગજનો ઉપયોગ કર્યો અને ભારત સરકાર પાસે મદદ માંગી. હવે તેનું પરિણામ એ છે કે માર્ચથી અત્યાર સુધીમાં ભારતમાંથી 6 કાર્ગો ફ્લાઇટ્સ રવાના થઈ છે, દરેક કાર્ગોની ક્ષમતા પણ 100 ટન હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ચેન્નાઈ એરપોર્ટ પર કસ્ટમ ક્લિયરન્સનો સમય પણ 30 કલાકથી ઘટાડીને 6 કલાક કરવામાં આવ્યો. આને ગ્રીન કોરિડોર સિસ્ટમ કહેવામાં આવે છે. હવે ભારતની મદદથી એપલે દરેક આઇફોન પર સરેરાશ 400 નો ટેક્સ બચાવ્યો છે, જો આપણે કુલ આંકડાઓ પર નજર કરીએ તો, 5100 કરોડ રૂપિયાની ટેક્સ બચત થઈ છે. નિષ્ણાતો માને છે કે એક સુનિયોજિત વ્યૂહરચનાના ભાગ રૂપે એપલ હવે ભારતને તેનું ઉત્પાદન કેન્દ્ર બનાવવા માંગે છે.
આપણ વાંચો: … નહીં તો દેશ છોડી દો: અમેરિકામાં રહેનારા ‘વિદેશીઓ’ માટે ટ્રમ્પ સરકારે આપ્યું નવું ફરમાન