આમચી મુંબઈમહારાષ્ટ્રસ્પોર્ટસ

વાનખેડેની ટેસ્ટ માટેની ઑનલાઇન ટિકિટોનું વેચાણ આ તારીખે શરૂ થશે…જાણો સીઝન પાસના ભાવ…

મુંબઈ: આગામી પહેલી નવેમ્બરથી વાનખેડે સ્ટેડિયમમાં ભારતની ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ શરૂ થશે અને એ માટેની ઑનલાઇન ટિકિટોનું વેચાણ શુક્રવાર, 18મી ઑક્ટોબરે શરૂ થશે.

મંગળવારે મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ની ઍપેક્સ કાઉન્સિલની મીટિંગ બાદ ટિકિટના વેચાણની તારીખ જાહેર કરવામાં આવી હતી.

આ ટેસ્ટના ફ્રી પાસ બૃહદ મુંબઈ મહાનગર પાલિકાની સ્કૂલના બાળકોને તેમ જ હૅરિસ શીલ્ડ તથા જાઇલ્સ શીલ્ડ ટૂર્નામેન્ટોની સેમિ ફાઇનલિસ્ટોને આપવા જોઈએ એવી એમસીએના પ્રમુખ અજિંક્ય નાઇકની દરખાસ્તને ઍપેક્સ કાઉન્સિલે સર્વાનુમતે સંમતિ આપી હતી.

આ પહેલાં ભારત અને ન્યૂ ઝીલૅન્ડની ટીમ વચ્ચે વાનખેડેમાં ડિસેમ્બર, 2021માં મૅચ રમાઈ હતી.

સામાન્ય જનતા માટેના નોર્થ સ્ટૅન્ડ, સચિન તેન્ડુલકર સ્ટૅન્ડ તેમ જ વિજય મર્ચન્ટ સ્ટૅન્ડના સીઝન પાસનો ભાવ 1,500 રૂપિયા રહેશે. સુનીલ ગાવસકર સ્ટૅન્ડનો ભાવ 325 રૂપિયા (ઈસ્ટ લોઅર) અને 625 રૂપિયા (ઈસ્ટ અપર) રહેશે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker