આમચી મુંબઈ

ઘાટકોપરમાં પૂ. શ્રી ધીરગુરુદેવનો આજે મંગલ પ્રવેશ – પ્રવચન કાર્યક્રમ

મુંબઈ: શ્રી હિંગવાલા લેન ખાતે મોટા ઉપાશ્રય ખાતે ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરુદેવનો આજે તા. ૧ ને શુક્રવારે સવારે ૭-૩૦ કલાકે મંગલ પ્રવેશ અને પ્રવચન કાર્યક્રમ યોજાયેલ છે.
પૂ. શ્રી ધીરગુરુદેવ શ્રી બીનાબેન અજયભાઈ શેઠના નિવાસેથી વિહાર કરી તિલક રોડ ખાતે રિદ્ધિસિદ્ધિ બિલ્ડિંગના પટાંગણેથી સકલ સંઘ સહિત ૭-૧૫ કલાકે સ્વાગત યાત્રા ઉપાશ્રય પહોંચ્યા બાદ નવકારશી અને ૯-૦૦ કલાકે સમૂહ ભક્તામર, ૯-૩૦ કલાકે સંયમ સંવેદના વિષયે પ્રવચન એવં પૂ. રત્નજ્યોતજી મહાસતીજીની પાંચમી દીક્ષા જયંતી નિમિત્તે સમૂહ એકાસણા યોજાશે.
જ્યારે અધ્યાત્મ સૌરભ પુસ્તક વિમોચન વિધિ શ્રી હરેશભાઈ જે. મોદીના અતિથિપદે યોજાશે.

તા. ૨ ને શનિવારે વ્યાખ્યાન મધ્યે આનંદમંગલ હોલ – સ્વસ્તિક વિધિ યોજાશે. તા. ૩ ને રવિવારે સવારે ૯.૩૦ થી ૧૨ કલાકે પૂ. ગુરુદેવનો કલકતા ચાતુર્માસ વિહાર શુભેચ્છા સમારોહ ડુંગર દરબાર, ઝવેરબેન હોલ ખાતે યોજાશે. વિલેપારલા સંઘના મંત્રી શ્રી ચંદુભાઈ દોશીનું વિશિષ્ટ સન્માન કરાતાં ઉમંગ છવાયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…