આમચી મુંબઈ

રાજ્યમાં આજે મૂશળધાર વરસાદની આગાહી: આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર

મુંબઇ: હાલમાં મહારાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધો છે. કેટલાંક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઇ રહ્યો છે. જોકે સારા પાક માટે ખેડૂતોને સારા વરસાદની જરુર છે. પાણીની અછતને કારણે ખેડૂતોનો પાક ખરાબ થઇ રહ્યો છે. તેથી હવે ખેડૂતોની ચિંતા વધી છે. દરમીયાન હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ આજે રાજ્યના વિવિધ વિભાગોમાં મૂશળધાર વરસાદ શક્યતાઓ છે. મરાઠવાડા સહિત વિદર્ભ અને ઉત્તર મહારષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ આજે રાજ્યમાં જોરદાર વરસાદની શક્યતાઓ છે. મરાઠવાડા સહિત ઉત્તર મહારાષ્ટ્ર અને વિદર્ભમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેથી તે વિસ્તારોમાં જોરદાર વરસાદની શક્યાતાઓ છે. મુંબઇ સહિત કોકણમાં પણ વરસાદની શક્યતાઓ છે.


આ વર્ષે ચોમાસુ મોડું શરુ થયું હોવાથી જૂન મહિનો તો વરસાદ વગર જ ગયો છે. જ્યારે જુલાઇમાં થયેલ થોડા ઘણાં વરસાદને કારણે પાકને જીવનદાન મળ્યું હતું. જોકે ઓગષ્ટ મહિનામાં પણ વરસાદનો સાક્ષાત્કાર ન થતાં ખેડૂતોની ચિંતા વધી છે. આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો ખેતીને મોટું નૂકસાન થઇ શકે છે. એટલું જ નહીં પણ અપૂરતા વરસાદને કારણે પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઇ શકે છે.


આ વર્ષે એલ નીનોની વરસાદ પર મોટી અસર થઇ છે. પ્રશાંત મહાસાગરમાં નિર્મણા થનારા એન નીનોનો ભારતીય હવામાન પર પરિણામ થઇ રહ્યો છે. હાલમાં ભારતના અનેક રાજ્યમાં વરસાદની ગેરહાજરી વર્તાઇ રહી છે. આ એલ નીનોનો પ્રભાવ છે. જોકે આને કારણે ભારતને આર્થિક નૂકસાન થઇ શકે છે. મહારાષ્ટ્ર પર પણ તેની અસર થઇ છે. વરસાદ ન આવતા ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે હવામાન ખાત દ્વારા કરવામાં આવેલ આગાહી બાદ ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત