આમચી મુંબઈ

હાઇ કોર્ટનો જાલનાની શાળા દ્વારા બરતરફ કરાયેલા સાત શિક્ષકોની ફેરનિમણૂક કરવાનો આદેશ

જાલના: બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે જાલનામાં અંગ્રેજી માધ્યમની શાળાના મેનેજમેન્ટ દ્વારા બરતરફ કરાયેલ સાત શિક્ષકોને રાહત આપી હતી.

જસ્ટિસ રવીન્દ્ર ધુગે અને વાય જી ખોબરાગડેની બેન્ચે શુક્રવારે એમએસ ઇંગ્લિશ સ્કૂલ, જાલનાના મેનેજમેન્ટ દ્વારા બરતરફ કરાયેલા સાત શિક્ષકોની ફેરનિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો.
આ શિક્ષકોએ બીજા ૪૨ શિક્ષકો સાથે, શાળા મેનેજમેન્ટ દ્વારા ચૂકવવામાં આવતા નજીવા અને અનિયમિત પગાર અંગે એડવોકેટ તલહાર અજય મારફતે રિટ પિટિશન દાખલ કરી હતી .

૬ થી ૨૬ વર્ષ સુધીના સેવા સમયગાળો ધરાવતા શિક્ષકોએ દાવો કર્યો હતો કે વાર્ષિક ધોરણે કામચલાઉ નિમણૂકના ઓર્ડર મળ્યા હોવા છતાં, તેઓને કોઈપણ પૂર્વ સૂચના અથવા કારણ બતાવ્યા વિના શાળા દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા. તેઓએ દાવો કર્યો હતો કે તેઓને અનિયમિત રીતે નાણાં ચૂકવવામાં આવી રહ્યાં છે અને ૧૨,૦૦૦ રૂપિયાથી લઈને ૩૦,૦૦૦ રૂપિયા સુધીની દંડની રકમ સમયાંતરે લેવામાં આવી હતી.

પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં બેન્ચે કહ્યું કે, જો શિક્ષકો છ વર્ષથી ૨૬ વર્ષની વચ્ચે કામ કરતા હોય, જેમ કે અરજદારોની દલીલ છે, તો તે કહેવું ઘણું અયોગ્ય છે કે તેઓ હંગામી છે અને દર વર્ષે તેમને હંગામી તરીકે એપોઇન્ટમેન્ટ ઓર્ડર જારી કરવામાં આવે છે. આવી શાળાઓમાં, પ્રશિક્ષિત સ્નાતકને પ્રોબેશનનો સમયગાળો પૂરો થયા પછી નિયમિત કરવાના હોય છે. જો આ અરજદારોની તમામ દલીલો સાચી હોય, તો તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે.

કોર્ટે સ્કૂલ મેનેજમેન્ટની અરજીને ફગાવી દીધી હતી કે આ કેસ એમપીઈપીએસ એક્ટ હેઠળ સ્કૂલ ટ્રિબ્યુનલના અધિકારક્ષેત્રમાં આવે છે.

કામચલાઉ પગલા તરીકે, કોર્ટે બરતરફના આદેશ પર રોક લગાવી દીધી અને શાળા મેનેજમેન્ટને નવેમ્બર ૨૦૨૩ સુધીના બાકી પગાર કોર્ટમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો.

વધુમાં, કોર્ટે ઔરંગાબાદ વિભાગના ડિવિઝનલ ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એજ્યુકેશનને શાળાની કામગીરી વિશે વિગતવાર માહિતી એકત્રિત કરવા અને રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી
હતી.

સ્કૂલ મેનેજમેન્ટને ૬ ડિસેમ્બર પહેલા જવાબ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
(પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા