હાઈ કોર્ટે સોશિયલ મીડિયા કંપનીઓને એનએસઈના એમડીના ડીપફેક સામે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું

મુંબઈ: એનએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના સ્ટોક ભલામણો આપતા કથિત ડીપ ફેક વીડિયો સામે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ મુંબઈ હાઈકોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આપ્યો છે.
જસ્ટિસ આર. આઈ. ચાગલાની બેન્ચે 16 જુલાઈના આદેશમાં ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એનએસઈ (નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ)ના ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરતા તમામ એકાઉન્ટને બંધ કરવા અથવા કાયમી ધોરણે ડીલીટ કરી નાખવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
અરજીકર્તાને માગવામાં આવેલી વચગાળાની રાહત આપવામાં નહીં આવે તો ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન અથવા હાની થવાની શક્યતા રહેલી છે, એમ હાઈ કોર્ટે સુનાવણી વખતે નોંધ્યું હતું.
ખંડપીઠે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આવા મોર્ફ કરેલા વીડિયો અને પ્રોફાઇલ્સ સામે ફરિયાદ મળ્યાના દસ કલાકની અંદર સામગ્રીને દૂર કરવા અથવા કાઢી નાખવાનો નિર્દેશ આપ્યો છે જ્યાં અરજીકર્તાના ટ્રેડમાર્કનું ઉલ્લંઘન થયું છે.
કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા ફર્મ્સને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો દ્વારા ફરજિયાત છે કે તેઓ શંકાસ્પદ વેબ પેજ અને/અથવા પ્રોફાઇલ્સ, એકાઉન્ટ્સ અને/અથવા જાહેરાત અને/અથવા વિડિયો અને/અથવા ક્ધટેન્ટ્સ અને/અથવા સામગ્રીઓ અને/અથવા સામાજિક મીડિયા જૂથો પ્રોફાઇલ્સ પર તેમના ટ્રેડમાર્કના અનધિકૃત ઉપયોગ વિશે એનએસઈ જેવી સંસ્થાઓની ફરિયાદો પર તાત્કાલિક પગલાં લેશે.
આ પણ વાંચો : આવતીકાલે બહાર નીકળવાનું વિચારી રહ્યા હોવ તો પહેલાં News વાંચી લો, નહીં તો…
એનએસઈએ હાઈ કોર્ટમાં દાવો કર્યો હતો કે પ્લેટફોર્મ્સ પર તેના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) આશિષકુમાર ચૌહાણનો એક બનાવટી વિડિયો દર્શાવવામાં આવ્યો છે જે રોકાણ અને સ્ટોક ટિપ્સ આપે છે. તેના અવાજ અને ચહેરાના હાવભાવની નકલ કરવા માટે અત્યાધુનિક એઆઈ (કૃત્રિમ બુદ્ધિ) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વીડિયો કથિત રીતે જનરેટ કરવામાં આવ્યો હતો.
એનએસઈએ પ્લેટફોર્મ્સને અનધિકૃત વિડીયો ડીલીટ અને હટાવવાની માગણી પોતાની પિટિશનમાં કરી હતી.
એનએસઈએ વધુમાં દાવો કર્યો હતો કે કેટલાક અપરાધીઓએ કથિત રીતે તેમના ટ્રેડમાર્કનો ઉપયોગ કર્યો છે અને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી અને ભ્રામક જાહેરાતો ફેલાવી છે.
એનએસઈએ તેની પિટિશનમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે એપ્રિલમાં સાયબર પોલીસમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી.
એનએસઈ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ બિરેન્દ્ર સરાફે કોર્ટને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના ફરિયાદ સેલમાં ફરિયાદ કરવા છતાં આવા ડીપફેક વીડિયો અને ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરનારાઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા.
કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને તે તમામ ખાતાઓ અને નકલી વિડિયો અને નકલી વિડિયો જેવી સામગ્રી પ્રકાશિત કરવામાં અથવા સ્ટોક એક્સચેન્જના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક એનએસઈનો ઉપયોગ કરવામાં સામેલ તે એકાઉન્ટ્સનું સંચાલન કરતી વ્યક્તિઓની વિગતો આપતાં તેમના સોગંદનામા દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
એફિડેવિટ ત્રણ અઠવાડિયાની અંદર દાખલ કરવાનો આદેશ આપીને કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 19 ઓગસ્ટના રોજ મુલતવી રાખી હતી.
કોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે કથિત ડીપફેક વીડિયોમાં એનએસઈના એમડી અને સીઈઓ દર્શકોને વોટ્સએપ સમુદાયમાં જોડાવા માટે ભલામણ કરતા જોઈ શકાય છે જ્યાં કંપની કથિત રીતે સ્ટોક પિક્સની ભલામણ કરશે.
(પીટીઆઈ)