માથાડી કામદારો આ તારીખે હડતાળ પર જશેઃ કોને અસર થશે જાણો
![Headquartered workers to go on strike on this date: Know who will be affected](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/Dhiraj-39.jpg)
મુંબઈ: માથાડી મજૂર અધિનિયમ ખતમ થઈ રહ્યો હોય ૧૪ ડિસેમ્બરે એક દિવસીય રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી. આ હડતાળમાં પહેલીવાર શાકભાજી-ફ્રૂટ માર્કેટ અને ખાનગી કંપનીઓના કામદારો પણ હડતાળ પર જશે.
માથાડી એક્ટના બચાવ માટે તમામ માથાડી મજૂર આગેવાનો દ્વારા તે સમયના નાયબ મુખ્ય પ્રધાનને વિરોધ, પત્રો, માંગણીઓ કરવામાં આવી હતી. પરંતુ કોઈએ તેમની અરજીને ગંભીરતાથી લીધી નહોતી. છેલ્લા કેટલાક વર્ષોમાં માથાડી લેબર રિફોર્મ બિલના નામે જે દરખાસ્તો આવી તેમાં માથાડી લેબર એક્ટનો નાશ કરવાનો સતત વિરોધ દર્શાવવા છતાં આની અવગણના કરવામાં આવી રહી છે.
જો આ કાયદો અમલમાં આવશે તો માથાડી એક્ટનો ૮૦ ટકા ભાગ તૂટી જશે, માથાડી કામદારો રસ્તા પર ઉતરી આવશે. સુધારાના પગલાં તરીકે ધ્યાન ખેંચવા માટે આગામી સત્ર ૧૪ ડિસેમ્બરના રોજ એક દિવસીય પ્રતીકાત્મક બંધ થશે. પોર્ટ, વેરહાઉસ, ખાનગી કંપનીઓના કામદારો આ બંધમાં ભાગ લેશે.
માથાડી મજૂર અધિનિયમમાં સુધારો માથાડી કામદારો અને તેમના પરિવારના હિતમાં હોવો જોઈએ, માથાડી બોર્ડ, મંડળ વગેરેમાં ભરતી વખતે માથાડી કામદારોના બાળકોને અગ્રતા આપવી જોઈએ. માથાડી લેબર એક્ટના દુરુપયોગને રોકવા માટે નક્કર પગલાં લેવા જેવી તેમની મુખ્ય માંગ છે, એમ સંગઠને જણાવ્યું હતું.