આમચી મુંબઈમહારાષ્ટ્ર

જાણી લેજો ગ્રીન ફટાકડાં સુરક્ષિત છે કે નહીં?

મુંબઈઃ ફટાકડા ફોડવાથી પ્રદૂષણ થાય છે, તેથી માર્કેટમાં ગ્રીન ફટાકડાની પધરામણી કરવામાં આવી હતી. ગ્રીન ફટાકડા ફોડવાથી પણ જોખમ ઊભું થઈ શકે છે એવું તાજેતરમાં એક સંસ્થાએ દાવો કર્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ગ્રીન ફટાકડા મુંબઈમાં અનેક જગ્યાએ વેચવામાં આવી રહ્યા છે. આ વર્ષે બજારમાં 15 ટકા ગ્રીન ફટાકડા હોવાનું વિક્રેતાઓ પાસેથી જાણવા મળ્યું છે, પણ શું આ ગ્રીન ફટાકડા ખરેખર સુરક્ષિત છે? એના અંગે પણ જાણીતી સંસ્થાએ એક અભ્યાસ કર્યા પછી ચોંકાવનારા તારણો આપ્યા હતા.

સંસ્થાએ કરેલા અભ્યાસના દાવા પ્રમાણે ગ્રીન ફટાકડામાં પણ બેરિયમ નામની ખતરનાક ધાતુ અને અન્ય હાનિકારક રસાયણો પણ મળી આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે પણ બેરિયમ નામની આ ધાતુ પર પ્રતિબંધ મૂક્યો હતો તેમ છતાં આ ખતરનાક ધાતુનો ઉપયોગ ફટાકડામાં થઈ રહ્યો છે, તેથી જાણીતી સામાજિક સંસ્થાઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખી આ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ લાવવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.

સંસ્થાએ આ વર્ષે બજારમાં વેચાતા ફટાકડાનું પરીક્ષણ કર્યું હતું, જેમાં ગ્રીન ફટાકડાની સાથે સાદા ફટાકડામાં પણ પ્રતિબંધ મૂકેલા ખતરનાક રસાયણો મળી આવ્યા હતા. સંસ્થાના અધિકારીએ કહ્યું હતું કે આપી હતી કે ગ્રીન ફટાકડા બીજા ફટાકડા કરતાં અવાજ અને ધુમાડો ઓછો કરે છે પણ આ ગ્રીન ફટાકડામાંજ ઘાતક રસાયણો મળે એ ચિંતાનો વિષય છે.

ગ્રીન ફટાકડા પર ક્યૂઆર કોડ હોવો જોઈએ જેથી લોકોને તેમાં કોઈ પ્રકારના ઘાતક રસાયણો વાપરવામાં આવ્યા છે કે નહીં તેની પૂરી અને ચોક્કસ માહિતી મળે. 2018માં જ્યારે આ ફાઉન્ડેશન દ્વારા ગ્રીન ફટાકડા પર લાગેલા ક્યૂઆર કોડને સ્કેન કર્યો ત્યારે તે ખોટો હોવાનું સામે આવ્યું હતું.

મુંબઈમાં રોજે હવાની ગુણવત્તા કથળી રહી છે અને દિવાળીમાં ફટાકડાને લીધે તે હજી ખરાબ થશે તેથી આવા બનાવટી ગ્રીન ફટાકડાના વેચાણ પર ઝડપથી પ્રતિબંધ મૂકવાની મુખ્ય પ્રધાનને અપીલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા કરેલા સર્વેમાં જણાવાયું છે કે વેચવા માટે રાખેલા ગ્રીન ફટાકડા વિશે વેપારીઓ પાસે કોઈ માહિતી નથી અને ગ્રાહકોને પણ ગ્રીન ફટાકડા અંગેની માહિતી જાણવામાં કોઈ રસ નથી એવું સામે આવ્યું હતું.

તમારી જાણ ખાતર જણાવી દઈએ કે મુંબઈ વધતાં પ્રદૂષણને ધ્યાનમાં રાખી દિવાળીના દિવસોમાં માત્ર સાંજે સાત વાગ્યાથી લઈને રાતે 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી છે. આ નિયમોનું ઉલંઘન કરનાર વ્યક્તિ સામે કાર્યાવહી કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…