આમચી મુંબઈમહારાષ્ટ્ર

પંચામૃત યોજનાનું એક પણ અમૃત લોકો સુધી પહોંચાડવામાં સરકાર નિષ્ફળઃ વિપક્ષી નેતાનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય સરકારે રજૂ કરેલી રૂ. 55,520 કરોડની પૂરક માગણીઓ ફક્ત સત્તાધારી કેટલાક વિધાનસભ્યોને ખુશ કરવા માટે જ રજૂ કરવામાં આવી છે એવો ગંભીર આક્ષેપ શિવસેના (યુબીટી) પક્ષના નેતા અને વિધાન પરિષદમાં વિપક્ષી નેતા અંબાદાસ દાનવેએ સોમવારે કર્યો હતો. પૂરક માગણીઓ રજૂ કરતી વખતે તેનું પ્રમાણ બજેટના પાંચ ટકા જેટલું જ હોવું જોઈએ એવી માર્ગદર્શિકા હોવા છતાં તેનું ઉલ્લંઘન કરીને આટલી જંગી માગણીઓ રજૂ કરવામાં આવી છે.

રાજ્ય સરકારે 6,02,008 કરોડનું 2023-24નું બજેટ માંડ્યું હતું. ચોમાસુ સત્રમાં 41,243 કરોડની પૂરક માગણી રજૂ કરી હતી. બજેટની સરખામણી કરવામાં આવે તો પૂરક માગણી મૂળ બજેટના 16 ટકા જેટલી છે, એમ પણ તેમણે કહ્યું હતું.

રાજ્ય સરકારે બજેટમાં વિકાસના પંચામૃતની જાહેરાત કરી હતી, પરંતુ આ વિકાસના પંચામૃતમાંથી હજી સુધી એકેય અમૃત મહારાષ્ટ્રની સામાન્ય જનતા સુધી પહોંચ્યું નથી. સરકારમાં સ્થિરતા ન હોવાને કારણે જ સમૃદ્ધ ખેતી થઈ શકી નથી અને તેને કારણે વિકાસ અવરોધાઈ રહ્યો છે, એમ પણ તેમણે કહ્યું હતું.

ટ્રાફિક વિભાગે જીએસટીના નામે પાવતી ફાડીને પાવતી પર 3,700 કરોડની ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. મઝગાંવ અને વડાલા ખાતેની વિક્રીકર ભવનની ઈમારતનું નૂતનીકરણ અટકી પડ્યું હોવાનું પણ તેમણે ધ્યાનમાં લાવી આપ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા ‘આનંદાચા શિધા’ યોજના અમલમાં મૂકવામાં આવી છે તેની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે આ ફક્ત મળતિયાઓને પોષવા માટે અમલમાં મૂકવામાં આવી રહી છે. લોકો તે લેતા નથી, પરંતુ સરકાર તેની ખરીદી કરી રહી છે. આને બદલે શિવભોજન થાળીની સંખ્યા વધારવાની આવશ્યકતા છે, એમ પણ તેમણે કહ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે શિવભોજન થાળીની યોજના ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી હતી.

રાજ્યના ગૃહવિભાગમાં 52,000 પદ ખાલી પડ્યા છે અને કૉન્ટ્રેક્ટ પર પોલીસ ભરતી કરવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થાની યંત્રણામાં કૉન્ટ્રેક્ટ સિસ્ટમ ન હોવી જોઈએ એમ પણ તેમણે કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા