આમચી મુંબઈ

ગોવંડીમાં લાગેલી આગમાં ૮થી ૧૦ ઝૂંપડાં બળીને ખાખ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ગોવંડીના ગૌતમ નગરમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં આઠથી દસ ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. લગભગ ત્રણેક કલાક સુધી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવ્યા બાદ તે નિયંત્રણમાં આવી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયુંં નહોતું.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ગોવંડીના ભિમ વાડી રોડ પર સોનાપુર લેન સ્થિત જીજામાતા મંદિર નજીક ગૌતમ નગરમાં સવારના ૧૦ વાગે આગ લાગી હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગને કારણે ઝૂંપડામાં રહેલી ઈલેક્ટ્રિક વાયરિંગ ઈન્સ્ટોલેશન, ફર્નિચર, ઘરનો સામાન સહિત બળીને ખાખ થઈ ગયું હતું.

સવારના શરૂઆતમાં આગ ચાર ઝૂંપડા સુધી સીમિત હતી એ બાદ બાકીના ઝૂંપડાઓમાં પણ ફેલાઈ ગઈ હતી.સવારના ૧૦ વાગે લાગેલી આગ બપોરે ૧.૧૦ વાગ્યા સુધી નિયંત્રણમાં આવી હતી. આગનું ચોક્કસ કારણ શકાયું ન હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button