આમચી મુંબઈ

મહારાષ્ટ્રને મણિપુર ન બનાવવું હોય તો અનામત આપો: મરાઠા મહાસંઘ

મુંબઇ: ઓલ ઈન્ડિયા મરાઠા ફેડરેશને નાગપુરમાં મરાઠા આરક્ષણ પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી. બેઠક બાદ ઓલ ઈન્ડિયા મરાઠા ફેડરેશનના પ્રમુખ દિલીપ જગતાપે મીડિયા સાથે વાતચીત કરી. આ પ્રસંગે દિલીપ જગતાપે કહ્યું કે, મરાઠાઓને કોઈપણ પરિસ્થિતિમાં અનામત આપો, જો અનામતની મર્યાદા વધારવી જ હોય તો વધારો. મરાઠા આરક્ષણનો મુદ્દો હવે સળગતો મુદ્દો બની ગયો છે. ભૂખ હડતાલ કરનાર મનોજ જરાંગે પાટીલ છેલ્લા 12 દિવસથી સંઘર્ષ કરી રહ્યા છે. આ મહારાષ્ટ્રનું મણિપુર ન બનાવવું હોય તો મરાઠાઓને અનામત આપો. અમે એ પણ જાણીએ છીએ કે અનામત મર્યાદા વધારવી એ રાજ્ય સરકારના હાથમાં નથી.

જરાંગેએ પ્રવાહી લેવાનું પણ બંધ કર્યું
મરાઠા આરક્ષણ મુદ્દે ઉપવાસ પર ઉતરેલા આંદોલનકારી મનોજ જરાંગેએ ઇન્ટ્રાવેનસ (આઈવી) ફ્લુઇડ્સ (નળી વાટે અપાતું પ્રવાહી) તેમજ મોં વાટે પ્રવાહી લેવાનું બંધ કર્યું છે. આ સાથે 14 દિવસથી ચાલી રહેલું આંદોલન વધુ તીવ્ર બન્યું છે અને જરાંગેએ મરાઠાઓની પડખે ઊભા રહેવા બધા રાજકીય પક્ષોને હાકલ કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો