ઘાટકોપરમાં બહુમાળીય ઈમારતમાં આગ: કોઈ જાનહાનિ નહીં | મુંબઈ સમાચાર

ઘાટકોપરમાં બહુમાળીય ઈમારતમાં આગ: કોઈ જાનહાનિ નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ઘાટકોપર (પૂર્વ)માં રવિવારે બપોરના ગ્રાઉન્ડ પ્લસ છ માળની રહેણાંક બિલ્ડિંગના ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ પંતનગરના નાયડુ કોલોનીમાં બિલ્ડિંગ નંબર ૩૩૦માં આગની દુર્ઘટના બની હતી. બપોરના ૨.૧૧ વાગ્યાની આસપાસ ત્રીજા માળા પર આવેલા ફ્લેટમાં આગ લાગી હતી.

મુંબઈ ફાયરબિગ્રેડ, સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લગભગ અડધો કલાકમાં એટલે કે ૨.૪૩ વાગ્યે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button