આમચી મુંબઈ

વિરારમાં સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઊતરેલા ચાર મજૂરનાં ગૂંગળામણથી મોત

પાલઘર: પાલઘર જિલ્લાના વિરારમાં હાઉસિંગ કોમ્પ્લેક્સમાંના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સફાઇ માટે ઊતરેલા ચાર મજૂરના ગૂંગળામણથી મોત થયાં હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર વિરાર પશ્ર્ચિમમાં ગ્લોબલ સિટી ખાતે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા ચારેય મજૂરની ઓળખ શુભમ પારકર (28), અમોલ ઘાટલે (27), નિખિલ ઘાટલે (24) અને સાગર તેંડુલકર (29) તરીકે થઇ હતી.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર એસટીના પ્રવાસીઓ વધ્યા પણ ‘આ’નું જોખમ વધ્યું

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ખાનગી હાઉસિંગ કોમ્પ્લેક્સમાં મંગળવારે સવારે ચાર મજૂર સફાઇ માટે 25-30 ફૂટ ઊંડા પ્લાન્ટમાં ઊતર્યા હતા અને સફાઇ કરતી વખતે ગૂંગળામણથી ચારેય જણનાં મોત થયાં હતાં.

દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અને અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ચારેયને બહાર કાઢ્યા હતા. ચારેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલાયા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…