આમચી મુંબઈ

બિલ્ડિંગના મીટર બૉક્સમાં આગ: ૪૫ રહેવાસીને ઉગારી લેવાયા

થાણે: થાણે પાસેના ઘોડબંદર રોડ પર આવેલી આઠ માળની ઈમારતના મીટર બૉક્સમાં લાગેલી આગને કારણે બિલ્ડિંગમાં ફસાયેલા ૪૫ રહેવાસીને ફાયર બ્રિગેડના જવાનોએ ઉગારી લીધા હતા.થાણે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે વાઘબીળ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના મીટર બૉક્સમાં ગુરુવારની બપોરે એક વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગમાં ૩૦ મીટર સળગી ગયાં હતાં. જોકે સદ્નસીબે કોઈ રહેવાસીને ઇજા થઈ નહોતી.

દરમિયાન આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના જવાનો અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કલાકની જહેમત પછી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ આગને કારણે ૪૫ રહેવાસી બિલ્ડિંગમાં ફસાઈ ગયા હતા, જેમને ઉગારી લેવાયા હતા. ૭૫ વર્ષની એક વૃદ્ધા તો તેના ફ્લૅટમાં ફસાયેલી હતી. તેને પણ સુરક્ષિત રીતે બચાવી લેવાઈ હતી. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…