પિંપરી-ચિંચવડમાં ગેરકાયદે ફટાકડા બનાવનારી ફેક્ટરીમાં આગ, છ જણનાં મૃત્યુ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પિંપરી-ચિંચવડમાં ગેરકાયદે ફટાકડા બનાવનારી ફેક્ટરીમાં આગ, છ જણનાં મૃત્યુ

પુણે: મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડ ખાતે ફટાકડાના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભીષણ હતી કે જેમાં છ જણના મૃત્યુ થયા હોવાની અને કેટલાક વધુ લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. પિંપરી-ચિંચવડના તળવડે ખાતે આવેલા ફટાકડાના ગોડાઉનમાં શુક્રવારે ભીષણ આગ ફાટી નીકળી હતી અને આ ગોડાઉન લાઈસન્સ વિના ચાલી રહ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ફાયરબ્રિગેડ અને સાતથી આઠ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. છ મૃતદેહો બહાર કાઢવામાં ફાયરબ્રિગેડને સફળતા મળી હતી. ગોડાઉનમાં વધુ મજૂરો ફસાયેલા હોવાનું સૂત્રોનું કહેવું છે. ફાયરબ્રિગેડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી છ મૃતદેહ કાઢવામાં સફળતા મળી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું ફાયરબ્રિગેડના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button