આમચી મુંબઈ

લલિત પાટીલ કેસ ઉદ્ધવ ઠાકરે સાથે કનેક્શનનો ફડણવીસનો આક્ષેપ

મુુંબઇ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સ માફિયા લલિત પાટીલનું નામ ચર્ચામાં છે. સાસૂન હૉસ્પિટલમાં પોલીસ કસ્ટડીમાં હોવા છતા લલિત પાટીલ નાસી છૂટ્યો હતો. આ પછી વિપક્ષે શિંદે-ફડણવીસ સરકાર પર સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સમાં લલિત પાટીલ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે સંભવ જોડાણ તરફ ધ્યાન દોર્યું હતું.
લલિત પાટીલની ડિસેમ્બર ૨૦૨૦માં ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્ય પ્રધાન હતા. ઉદ્ધવ ઠાકરેએ જ લલિત પાટીલને શિવસેનાના નાસિક જિલ્લાનું પ્રમુખપદ સોપ્યું હતું. લલિત પાટીલની ધરપકડ બાદ તરત જ પીસીઆરની માગણી કરવામાં આવી હતી.

ગુનો મોટો હોવાથી આ કેસમાં તાત્કાલિક પીસીઆર આપવામાં આવ્યા હતા. પીસીઆર મળતા તાત્કાલિક તેને સાસૂન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ પછી સરકારી પક્ષ દ્વારા લલિત પાટીલની તપાસ માટે કોઈ અરજી કરવામાં આવી ન હતી અને પોલીસે પણ તેની પૂછપરછ કરી ન હતી.

પીસીઆરના ૧૪ દિવસ પછી લલિત પાટીલે એમસીઆર આપવો પડ્યો. આ સમયગાળા દરમિયાન તેની પણ તપાસ કરવામાં આવી ન હતી. જો તપાસ નહીં થાય તો આવતીકાલે કોર્ટમાં આરોપી સામે કેસ કેવી રીતે દાખલ કરશે? મુખ્ય પ્રધાન હતા ત્યારે લલિત પાર્ટીની તપાસ કેમ ન થઈ? આ પાછળનું કારણ શું હતું? આ બધા માટે ઉદ્ધવ ઠાકરે જવાબદાર હતા કે ગૃહ પ્રધાન જવાબદાર હતા? જેવા અનેક સવાલો દેવેન્દ્ર ફડણવીશે ઉઠાવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત