મરાઠા ક્વોટા માટે કુણબી રેકોર્ડ્સ શોધવા નિષ્ણાતો `મોદી’ લિપિના સહારે
છત્રપતિ સંભાજીનગર: મરાઠા સમુદાયને અનામત આપવા માટે મરાઠવાડામાં કુણબીઓના રેકોર્ડ્સ શોધવા માટે મરાઠીની “મોદી” લિપિના નિષ્ણાતો વિવિધ કચેરીઓ અને વિભાગોમાંથી નિઝામ યુગના દસ્તાવેજોનું ભાષાંતર કરી રહ્યા છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કુણબીના રેકોર્ડ શોધવા માટે જમીન રેકોર્ડ વિભાગના કાગળો, તહસીલ અને અન્ય કચેરીઓના દસ્તાવેજો અને 1967 પહેલાના શાળાના રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.
“મોદી” એ હાલમાં દેવનાગરીમાં લખાયેલી મરાઠી ભાષાને લખવા માટે વપરાતી લિપિ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીમાં “મોદી” લિપિ પરનો અભ્યાસક્રમ શીખવતા કમાજી ડાક પાટીલે કહ્યું કે, “મોદી” સ્ક્રિપ્ટ પહેલા ઇતિહાસના વિદ્વાનો અને આર્કાઇવ્સ વિભાગ પૂરતી મર્યાદિત હતી, પરંતુ હવે સામાન્ય લોકો તેમની પાસે રહેલા કાગળો લઈને અમારો સંપર્ક કરી રહ્યા છે અને સ્ક્રિપ્ટને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક કાગળોમાં, `મોદી’ લિપિમાં લખેલી માહિતીનો ઉર્દૂ અથવા કન્નડમાં પણ અનુવાદ કરવામાં આવે છે. આવા કાગળો કર્ણાટક અને તેલંગણાની સરહદે આવેલા વિસ્તારોમાં જોવા મળતા હતા. પાટીલે કહ્યું કે, અમે 1881 થી 1900 સુધીના વિવિધ કચેરીઓમાંથી જમીનના રેકોર્ડ અને દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છીએ,જો અમને આ કાગળોમાં કુણબીનો ઉલ્લેખ મળે, તો અમે માહિતીને દેવનાગરીમાં ટ્રાન્સલિટરેટ કરીએ છીએ અને તેને જિલ્લા સત્તાવાળાઓને આપીએ છીએ જેઓ તેમની સત્તાવાર વેબસાઇટ પર રેકોર્ડ અપલોડ કરે છે. અગાઉ, એવું માનવામાં આવતું હતું કે આ નિઝામ-યુગના દસ્તાવેજો હૈદરાબાદમાં છે, પરંતુ “મોદી” લિપિમાંના કેટલાક રેકોર્ડ મરાઠવાડાની સરકારી કચેરીઓમાં પણ મળી આવ્યા હતા. અમે 1967 સુધીના શાળાના રેકોર્ડ તપાસી રહ્યા છીએ. “મોદી” સ્ક્રિપ્ટ નિષ્ણાત શૈલેન્દ્ર વાળાએ જણાવ્યું હતું કે, આ જૂના દસ્તાવેજો પરની શાહી સારી સ્થિતિમાં છે. અમે સરળતાથી શબ્દોને વાંચી અને ઓળખી શકીએ છીએ. જમીનના કેટલાક રેકોર્ડ્સ થોડા નાજુક છે, પરંતુ તહેસીલ ઓફિસમાંથી મળેલા દસ્તાવેજો સારી સ્થિતિમાં છે, જેને આગામી 100 વર્ષ સુધી વાંધો આવે તેમ નથી. ઉ