આમચી મુંબઈ

મારો વાળ પણ વાંકો થશે તો… ઉદ્ધવ ઠાકરેની શિંદે જૂથને ધમકી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ મુંબ્રાની શિવસેનાની શાખાને તોડી નાખવામાં આવી અને આ મુદ્દે શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને આવી ગયા છે. શિંદે જૂથે મુંબ્રાની શાખાનું ડિમોલિશન કરી નાખ્યા બાદ ત્યાં ક્ધટેનરમાં નવી શાખા ઊભી કરી છે. આ બધાને પગલે ઠાકરે જૂથના નેતા ઉદ્ધવ ઠાકરે ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ હજારો કાર્યકર્તાની હાજરીમાં ઘટનાસ્થળે આવ્યા ત્યારે ત્યાં શિંદે જૂથના કાર્યકર્તા પણ હાજર હતા. બંને જૂથોને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે વિનંતી કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ બેરિકેડ્સની નજીકથી ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને શિંદે જૂથને ચેતવણી આપી હતી.

આ ખોખા સરકારે અમારી શાખા તોડીને ત્યાં એક ખોખા (ક્ધટેનર) રોકી રાખી છે. અમારી જગ્યા પર અતિક્રમણ કર્યું છે. આ ખોખું વહેલામાં વહેલી તકે ખસેડવામાં નહીં આવે તો અમે તે ખોખું ઉંચકીને ફેંકી દીધા વગર રહેશું નહીં. આ શાખાના બધા જ દસ્તાવેજો અમારી પાસે છે, એમ પણ તેમણે કહ્યું હતું.

દિલ્હીની મહેરબાનીથી આજે તમે સત્તામાં બેઠા છો. કઠપુતળી અને ઢીંગલાઓ તમારામાં હિંમત નથી. મર્દની ઓલાદ હોય તો પોલીસને બાજુ પર રાખો અને અમારી સાથે મુકાબલો કરો. અમારી તૈયારી છે. તમારા બધાની સાથે હું ત્યાં જઈને ઊભો રહ્યો છું. જોઈએ કોનામાં કેટલી તાકાત છે. મારો વાળ પણ વાંકો થશેને તો તેમના (શિંદે જૂથના) બધા જ વાળ મહારાષ્ટ્ર ઉખાડી નાખ્યા વગર રહેશે નહીં, એમ પણ તેમણે કહ્યું હતું.

ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હશે તે શિવસેના શાખાને જપ્ત કરાશે: શિંદે જૂથની ચિમકી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અયોગ્ય અથવા તો ગેરકાયદે પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય એવી અવિભાજિત શિવસેનાની શાખાઓને શિંદે જૂથના નેતૃત્વ હેઠળની પાર્ટી દ્વારા જપ્ત કરી નાખવામાં આવશે, એવી ચિમકી શિંદે જૂથના પ્રવક્તા નરેશ મ્હસ્કે દ્વારા શનિવારે ઉચ્ચારવામાં આવી હતી.

શિવસેનાએ મુંબ્રામાં આવી જ રીતે એક શાખાને હસ્તગત કરી હતી અને તેનું ડિમોલિશન કરાવીને નવી શાખા બાંધવાનું કામ ચાલુ કરી નાખ્યું હતું. આને કારણે ઉદ્ધવ ઠાકરે જૂથના પદાધિકારીઓ સાથે તંગદિલી થઈ હતી.

ઉદ્ધવ ઠાકરે પોતે મુંબ્રાના આ વિસ્તારની મુલાકાત લેવા ગયા હતા, પરંતુ તંગદિલીની સંભાવનાને ધ્યાનમાં રાખતા ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મ્હસ્કેએ એવો દાવો કર્યો હતો કે એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડની સલાહ પર ઉદ્ધવ ઠાકરે મુંબ્રાની મુલાકાત લઈ રહ્યા છે, પરંતુ તેમને આવકારતા બેનર પર શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે અને દિવંગત નેતા આનંદ દીઘેના ફોટા મૂકવામાં આવ્યા નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…