આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભાખરી ખાવાની ભારતની અને ચાકરી કરવાની પાકિસ્તાનની: એકનાથ શિંદેએ કૉંગ્રેસની ઝાટકણી કાઢી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશમાં ચૂંટણીઓ આવતાં જ કૉંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલવા લાગે છે. કૉંગ્રેસ કા હાથ પાકિસ્તાન કે સાથ આ ઉક્તિ વધુ એક વખત સિદ્ધ થઈ છે. ભાખરી ખાવાની ભારતની અને ચાકરી કરવાની પાકિસ્તાનની આવું વર્તન કરી રહેલી કૉંગ્રેસને દેશણાંથી હદપાર કરવાની આવશ્યકતા છે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે કહ્યું હતું.
મહાયુતિના ઉમેદવાર હીના ગાવિત માટે આયોજિત નંદુરબારની સભામાં બોલતાં તેમણે કહ્યું હતું કેે પહેલાં કૉંગ્રેસનો પ્રચાર નંદુરબારમાં થતો હતો. તેમણે અહીંના આદિવાસીઓનો ઉપયોગ ફક્ત મતો મેળવવા માટે કર્યો હતો. આથી જ હવે નંદુરબારની જનતા કૉંગ્રેસ સામે બદલો લીધા વગર રહેશે નહીં.


અખા ત્રીજના શુભ મુહુર્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નંદુરબારમાં આવ્યા છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે ચોથી જૂને ડૉ. હીના ગાવિતના વિજયના શુભ સમાચાર હવે પાકા છે. ડૉક્ટર હીના ગાવિત જવા જોઈએ દિલ્હીમાં અને ગોવાલ પાડવી રહેવા જોઈએ ગલ્લીમાં એવું હવે નંદુરબારની જનતાએ નક્કી કરી નાખ્યું છે એમ તેમણે કહ્યું હતું.


નંદુરબારની જનતાએ જળ, જંગલ અને જમીન સુરક્ષિત રાખી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે આદિવાસી સમાજના ઉત્થાન, ગૌરવ અને સન્માન માટે વડા પ્રધાને પોતાનું જીવન સમર્પિત કરી નાખ્યું છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે કૉંગ્રેસે આદિવાસી જમીનનો કોઈ પ્રશ્ર્ન ઉકેલ્યો નહોતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વનસંપત્તિ કાયદામાં સુધારો કરીને આદિવાસીઓને તેમના અધિકાર અપાવ્યા છે. કૉંગ્રેસના 60 વર્ષના કાર્યકાળમાં જે નથી થયું તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 10 વર્ષના કાર્યકાળમાં થયું છે.


પંતપ્રધાન આવાસ યોજના હેઠળ આદિવાસીઓને પોતાના હક્કના ઘર આપવામાં આવ્યા, ગ્રામીણ વિસ્તારની માતા-બહેનોને પોતાના ઘરમાં શૌચાલય મળ્યા, દેશની 80 કરોડ ગરીબોને મફતમાં રેશન મળ્યું, દેશના સર્વોચ્ચ પદ પર રાષ્ટ્રપ્રમુખ તરીકે એક આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મૂને સ્થાન મળ્યું છે, એમ તેમણે વડા પ્રધાન મોદી દ્વારા આદિવાસી સમાજ માટે કરવામાં આવેલા કામ ગણાવતાં કહ્યું હતું.


સરકારે આદિવાસી આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી છે. બે લાખ કરતાં વધારે વન હક્ક દાવા મંજૂર કર્યા છે. કુપોષણ નિર્મૂલન માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યા. આદિવાસી બાંધવોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે મોદીએ ભરપૂર પ્રયાસ કર્યા છે અને તેથી જ હવે વડા પ્રધાન મોદીના હાથને મજબૂત કરવા માટે ડૉ. હીના ગાવિતને સંસદમાં પહોંચાડવા માટે મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ એકનાથ શિંદેએ કરી હતી.
તેમણે મતદારોને કહ્યું હતું કે લોકસભાની આ ચૂંટણીઓ દેશને મહાસત્તા બનાવવા માટેની છે. પાકિસ્તાનની કમર તોડી નાખનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. વિપક્ષના લોકોની જેમ પાકિસ્તાનનું એઠું ખાનારા નથી. આપણી પાસે ગરીબ કલ્યાણનો ઝંડો છે, જ્યારે તેમની પાસે બેઈમાનીનો ઝંડો છે, એવા શબ્દોમાં એકનાથ શિંદેએ વિપક્ષની ઝાટકણી કાઢી હતી.


તેમણે કહ્યું હતું કે 2014માં જ્યારે વિરોધીઓએ મોદી પર આરોપ કર્યા ત્યારે તેમનો પરાજય થયો હતો. 2019માં તેમમે ફરી મોદી પર ગંભીર આરોપ કર્યા હતા. ત્યારે જનતાએ વિરોધીઓનાં સૂપડાં સાફ કરી નાખ્યા હતા. હવે 2024માં જનતા વિરોધીઓને કાયમી ધોરણે ઘરમાં બેસાડી દેશે અને ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવશે એવો વિશ્ર્વાસ એકનાથ શિંદેએ વ્યક્ત કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…