ડ્રગ પાર્ટી કેસમાં એકનાથ ખડસેના જમાઇને કોર્ટે જામીન આપ્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ડ્રગ પાર્ટી કેસમાં એકનાથ ખડસેના જમાઇને કોર્ટે જામીન આપ્યા

પુણે: પુણેની કોર્ટે ડ્રગ પાર્ટી કેસમાં ગુરુવારે રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેના જમાઇ ડો. પ્રાંજલ ખેવલકરના જામીન મંજૂર કર્યા હતા.

એડિશનલ સેશન્સ જજ જે. જી. દોરલેએ સહ-આરોપી પ્રાચી ગુપ્તા અને શ્રીપાદ યાદવને પણ જામીન આપ્યા હતા, એમ બચાવપક્ષના વકીલ પુષ્કર સુર્વેએ કહ્યું હતું.

આ પણ વાંચો: રેવ પાર્ટીના કેસમાં ખડસેના જમાઈની ધરપકડ શંકાસ્પદ: સંજય રાઉત

પુણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ખરાડી વિસ્તારમાં સ્ટુડિયો અપાર્ટમેન્ટ ખાતે 27 જુલાઇએ મળસકે રેઇડ પાડી હતી અને ત્યાં ચાલતી ડ્રગ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો.

દરમિયાન ખેવલકર અને અન્ય છ જણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે રેઇડ દરમિયાન કોકેઇન, ગાંજોે, હુક્કા અને દારૂની બોટલો જપ્ત કરાઇ હતી.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button