આમચી મુંબઈ

‘વંદે ભારત’ના કોચમાં સુવિધા વધારવાના પ્રયાસ

સફાઇ, અકસ્માત રોકવા માટેનાં પગલાં લેવાશે

મુંબઈ: પ્રવાસીઓનો અનુભવ બહેતર બને એ હેતુથી વંદે ભારત કોચમાં વિશિષ્ટ સગવડ પ્રાયોગિક ધોરણે આપવાની જાહેરાત મધ્ય રેલવેએ કરી હતી. મધ્ય રેલવેના મુખ્ય પ્રવક્તા શિવરાજ માનસપુરેએ આ સંદર્ભે જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન પ્રવાસીઓનો અનુભવ વધુ સુખદ રહે તેમજ વંદે ભારતના કોચની ટૅક્નિકલ સમસ્યા દૂર કરવાના આશય સાથે મધ્ય રેલવેએ બે મહત્ત્વના પગલાં પ્રાયોગિક ધોરણે લીધા છે.

પહેલો અખતરો છે ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચના ટોઈલેટમાં ઓડર સેન્સર (દુર્ગંધ દૂર કરતું ઉપકરણ) બેસાડવાનું. ટોઈલેટમાં ગંધના પ્રમાણની ચકાસણી પ્રાયોગિક ધોરણે નિયમિતપણે કરી શકાય એ માટે આ સેન્સર બેસાડવામાં આવ્યા છે.

દુર્ગંધનું પ્રમાણ વધી જતા આ સેન્સર કાર્યરત થઈ હાઉસકિપિંગ સ્ટાફને તાબડતોબ ચેતવણી આપતો મેસેજ મોકલશે. પરિણામે સંબંધિત વ્યક્તિ તાત્કાલિક ધોરણે સમસ્યાનો ઉકેલ લાવી શકશે. એકંદરે ટ્રેનમાં સ્વચ્છતાનું પ્રમાણ જળવાશે અને યાત્રીઓની પરેશાની દૂર થઈ જશે. પ્રાયોગિક ધોરણે સફળતા મળ્યા પછી ટ્રેનના બાકીના બધા કોચમાં આ સેન્સર બેસાડવામાં આવશે. મધ્ય રેલવેનો બીજો પ્રયાસ છે વંદે ભારતના કોચમાં ન્યૂમેટિક પાઈપમાં બદલાવ લાવવાનો. પ્રાણીઓ સાથે ટ્રેનની અથડામણના બનાવમાં આ પાઈપને નુકસાન પહોંચ્યું હોવાના દાખલા બન્યા છે. એમાં કરવામાં આવેલા બદલાવથી નુકસાનની શક્યતા નહિવત થઈ જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો